મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં કરફયુમાં ઢીલ આપવામાં આવ્યા બાદ ફરી એકવાર હિંસા ભડકી છે. બિષ્ણુપુરમાં તોફાની તત્વોએ એક સમુદાયના ૩ ઘરોમાં આગ લગાવી દીધી હતી. જ્યારે, તેના જવાબમાં બીજા સમુદાયે તે વિસ્તારના ૪ મકાનોમાં આગ લગાવી હતી. સ્થાનિક તંત્રના જણાવ્યા અનુસાર, આ હિંસક ઘટનામાં એક વ્યકિતનું મોત થયું છે અને બે વ્યકિત ગંભીર રૂપથી ઘાયલ થયા છે.
મણિપુર સરકારના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે જણાવ્યું કે, કેટલાક શંકાસ્પદ આતંકવાદીઓએ બિષ્ણુપુરના ફૌગકચાઓ ઈખાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોલંગટ તળેટી અને ટ્રોંગલાઓબી તરફની પહાડી પરથી નીચે આવ્યા હતા. તેમણે અહીં આવેલા ૩ મકાનોને આગને હવાલે કરી દીધા હતાં. તેના જવાબમાં કેટલાક તોફાની તત્વોએ ફૌગકચાઓ, ત્રોંગલાઓબી અને ફૈજંગવાઈ વિસ્તારમાં મકાનોને આગ લગાવી હતી.
આ હિંસક ઘટનાઓ બાદ રાજ્ય સરકારે કરફયુમાં આપવામાં આવેલી ઢીલ રદ્દ કરી છે. બીજી તરફ, કોંગ્રેસ પાર્ટીના નેતા અજય કુમારે સત્તા પક્ષ પર આરોપ લગાવતા કહ્યું છે કે, ઈમ્ફાલ હોસ્પિટલની મોર્ચરીમાં ૫ મેથી અત્યાર સુધી ૭૦ મૃતદેહો પડયા છે. ચુરાચાંદપુર વિસ્તારની મોર્ચરીમાં ૧૮ મૃતદેહો પડયા છે, જેને લેવા કોઈપણ વ્યકિત આગળ આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે, રાજ્યના ચુરાચાંદપુરમાં ૩ મેના રોજ હિંસા ભડકી હતી. મણિપુરનો મૈતેઈ સમાજ એસટી દરજ્જા માટે છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યો છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.