તા.14.02.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
ટીબી મુક્ત ભારત અભિયાન દાહોદના ૩૩ દર્દીઓને ન્યુટીશન કિટનું વિતરણ
દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ ટીબીના કુલ ૩૩ દર્દીને દત્તક લઈ ન્યુટ્રિશન કીટનું વિતરણ કર્યું હતું
પ્રધાનમંત્રીશ્રીના ટીબી મુક્ત ભારત અભિયાન ૨૦૨૫ અન્વયે ટીબી રોગ નિર્મૂલન માટે જનભાગીદારીથી દર્દીના નિર્મૂલન માટે પોષણ સહાય આપવાની યોજના શરૂ કરાઇ છે
યોજનામાં વિવિધ સરકારી ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્ર, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, સંસ્થાઓ કે સામાજીક કાર્યકર, કે નાગરિકો વ્યક્તિગત ધોરણે ટીબીના દર્દીને પોષણ સહાય આપવા માટે દત્તક લઈ શકે છે. જે અન્વયે આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રેટિયા ખાતે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્રારા કુલ ૩૩ ટીબીના દર્દીઓને ન્યુટ્રિશન કીટ આપવામાં આવી હતી અને તેમણે દર્દીઓને દત્તક લીધા હતા આ કાર્યક્રમમા રેટીયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અનિલભાઈ માવી, જીલ્લા ક્ષય અઘિકારી ડૉ. આર. ડી. પહાડીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ ભગીરથ બામણિયા, મેડીકલ ઓફીસર ડૉ કિંજલ નાયક , આરોગ્ય કર્મચારીઓ સહિત દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા