GUJARATHALOLPANCHMAHAL

હાલોલ- શાળા આચાર્યો અને મધ્યાહન ભોજનના સંચાલકો સાથે પૂરવઠા અધિકારી એચ.ટી.મકવાણા ની મિંટીગ,ભોજનની નિયમિતતા પર ભાર મૂકાયો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧૨.૧૨.૨૦૨૩

હાલોલ તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ભણતા બાળકોને બપોરે આપવામાં આવતું ભોજન અને સાંજે આપવામાં આવતો નાસ્તો નિયમિત અને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા પૌષ્ટિક આહાર ના મેનુ મુજબ નો બાળકોને મળી રહે તે માટે આજે હાલોલ નગરપાલિકા ના હોલ માં જિલ્લા પુરવઠા અધિકારી એ તમામ શાળાના આચાર્યો તથા મધ્યાહન ભોજન યોજના ના સંચાલકો સાથે બેઠક કરી જરૂરી સૂચનાઓ આપી હતી. ખાસ કરી તમામ શાળાઓ માં બાળકોને સાંજ નો નાસ્તો ફરજિયાત મળે તે માટે ભાર પૂર્વક જણાવ્યું હતું જો કોઈ કચાસ રહેશે તો જવાબદારો સામે સખત પગલાં ભરવામાં આવશે તેવું જણાવતા પ્રાથમિક શાળાના આચાર્યો તથા સંચાલકો માં બાળકોને આપવામાં આવતા ભોજન અને નાસ્તાની અનિયમિતતા ને લઈ ફફડાટ વ્યાપ્યો છે.પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચટી મકવાણા એ હાલોલ મામલતદાર જોશી અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ને સાથે રાખી તમામ પ્રાથમિક શાળાઓ ના આચાર્યો અને મધ્યાહન ભોજન યોજના હેઠળ બાળકો ને પૌષ્ટિક આહાર આપતા સંચાલકો ની એક બેઠક યોજી તમામ પ્રાથમિક શાળાઓમા બાળકો ને આપવામાં આવતું ભોજન સરકારે નક્કી કરેલા આહાર મુજબ નિયમિત મળે તેવી વ્યવસ્થા કરવા માટે સૂચનો કર્યા હતા. અને સાંજે ચાર વાગ્યે બાળકો ને ફરજિયાત આપવાનો નાસ્તો આપવામાં કોઈ કચાસ કે ફરિયાદ મળશે તો જવાબદાર સામે સખત પગલાં લેવાશે તેવો સ્પષ્ટ નિર્દેશ કરતા બાળકોની તંદુરસ્તી માટેની મધ્યાહન ભોજન વ્યવસ્થા અને સાંજના નાસ્તા માં લાલીયાવાડી ચલાવતા આચાર્યો અને સંચાલકો માં ફફડાટ વ્યાપી ગયો છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!