GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: તમે મતદાન કરશો તો યુવાનોને મતદાન કરવાની પ્રેરણા મળશે : ચૂંટણી તંત્રની વડીલોને અપીલ

તા.૧૬/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

લોધીકા તાલુકાના ઢોલરા ગામમાં ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Rajkot: ચૂંટણી એ લોકશાહીનું મહાપર્વ છે અને લોકો મતદાન થકી આ અવસરમાં સહભાગી બને છે. ચૂંટણીમાં દરેક નાગરિકનો મત અમૂલ્ય છે. હાલ લોકસભાની ચૂંટણી સંદર્ભે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોષી અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન. કે. મુછારના નેતૃત્વમાં વહીવટી તંત્ર વધુમાં વધુ મતદાન થાય, તે હેતુસર અથાક મહેનત કરી રહ્યું છે. જેના ભાગરૂપે સ્વીપ નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શનમાં ‘કોઈ મતદાર છૂટે નહીં’ની નેમ સાથે અવિરત મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.

૭૧ – રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મતદાર વિભાગમાં આસીસ્ટન્ટ રીટર્નીંગ ઓફિસરશ્રી વિમલભાઈ ચક્રવર્તીના વડપણ હેઠળ એકપણ મતદાતા મતદાન કરવાથી વંચિત ન રહે, તે માટે મતદાન જાગૃતિની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અન્વયે ગત વિધાનસભામાં પુરુષો કરતા સ્ત્રીઓનું ૧૨% ઓછું મતદાન ધરાવતા લોધીકા તાલુકાના ઢોલરા ગામમાં ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમ ખાતે મામલતદારશ્રીના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં મતદાનમાં મહિલાઓની ભાગીદારી વધારવા ખાસ વડીલ મહિલાઓને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવ્યાં હતાં. ૮૦થી વધુ વયના અશક્ત વૃદ્ધો મતદાનમથકે ગયા વિના પોસ્ટલ બેલેટથી મત આપી શકશે, તેની જાણકારી આપવામાં આવી હતી. તેમજ “વડીલો.. તમે મતદાન કરશો તો યુવાનોને મતદાન કરવાની પ્રેરણા મળશે.” આ બાબત સમજાવીને વયોવૃદ્ધોને મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. આ તકે સૌએ અચૂક મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારે વડીલોએ પણ ઉત્સાહપૂર્વક મતદાનની નૈતિક ફરજ નિભાવવાની ખાતરી આપી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!