GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

મકાન અને માર્ગ વિભાગના બે કામદારોના વારસોને રિવાઇઝ પેન્શન મૃત્યુ સહાયના લાભો ચૂકવવા હાઇકોર્ટ દ્વારા આદેશ

તારીખ ૦૪/૦૧/૨૦૨૪

  • સાજીદ વાઘેલા કાલોલ 

ગુજરાત સરકાર ગાંધીનગર ના તાબા હેઠળની નાયબ કાર્યપાલક ઇજનેર મકાન અને માર્ગ વિભાગ પંચાત લુણાવાડા મુકામે રોજમદાર તરીકે તારીખ ૨૪/૧/૭૮ થી ફરજ બજાવતા કાળાભાઈ હીરાભાઈ વણકર તથા નાયબ કાર્યપાલક ઇજનેર સ્ટેટ વિભાગમાં રોજમદાર તરીકે તારીખ ૨૧/૧૨/૮3થી ફરજ બજાવતા માં હાજર થયા તેમની નોકરીના દરમિયાન સરકારશ્રીના તારીખ ૧૭/૧૦/૮૮ પરિપત્ર મુજબના લાભો આપવામાં આવતા હતા પરંતુ નોકરીના દરમિયાન નિવૃત્તિ પહેલા અકાળે કાળાભાઈ વણકર નું તારીખ ૨૭/૪/૧૨ના રોજ તથા રણછોડભાઈ પાંડોરનું તારીખ ૬/૩/૧૯ ના રોજ અવસાન થવા પામેલ બંને કામદારો ના વારસોને નિયમો અનુસાર બાલુબેન કે વણકર તથા અખમ બેન આર પાંડોર ને ફેમિલી પેન્શન ચુકવણી કરવામાં આવેલ પરંતુ ગુજરનારની રોજમદાર તરીકેની સળંગ નોકરી ગણવાના બદલે દસ વર્ષની નોકરી કપાત કરી પેન્શન ના લાભો આપવામાં આવેલ તેમજ અવસાન બાદ તેઓની મૃત્યુ સહાય ચૂકવવા બાબતે સરકારશ્રીનો તારીખ ૫/૭/૧૧ પરિપત્રના હોવા છતાં તે લાભોથી પણ વંચિત રાખવામાં આવેલ તે બાબતે ગુજરાતના વારસો એ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ.એસ ભોઈ નો સંપર્ક કરી નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરેલ જેમાં ગુજરનારની રોજમદાર તરીકેની સળંગ નોકરી ગણી તેમને મળવાપાત્ર રિવાઇઝ પેન્શન મૃત્યુ સહાય અને અન્ય લાભો ચૂકવવા અંગેની દાદ માંગે જે કેસ ચાલી જતા ફેડરેશન અને અરજદાર તરફે હાજર રહેલ એડવોકેટ દિપક આર દવે દ્વારા કેસમાં પડેલા પુરાવા આધારિત દલીલો કરતા બંને ગુજરનાર ના વારસોને રિવાઇઝ પેન્શન તથા મૃત્યુ સહાય તેમ જ અન્ય લાભો ચૂકવવાનો ગુજરાત હાઇકોર્ટ દ્વારા આદેશ થતા વારસ પરિવારોમાં આનંદ વ્યાપી ગયો છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!