થાનગઢનો યુવાન દ્વારા નવરાત્રીમા અવનવી ડીઝાઇન ગરબા બનાવીને સારી આવક મેળવે છે.
તા.07/10/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સમગ્ર દેશમાં નવરાત્રિના પર્વનું અનેરું મહત્ત્વ હોય છે ત્યારે ગુજરાતમાં નવરાત્રિનું મહત્વ કાંઈક અલગ જ છે ત્યારે નવરાત્રિ શરૂ થવાના મહિના અગાઉ જ આ પર્વ માટેની અલગ અલગ તૈયારીઓ કરવામાં આવે છે આ તહેવારમાં યુવાનો અને યુવતીઓ ગરબે રમે છે ઘણા લોકો ઘરની અંદર માતાજીનો ગરબો પણ લે છે અને તેનુ સ્થાપન કરે છે સાથે અનુસ્ટાન પણ કરતા હોય છે આ પર્વ હિન્દુઓ માટે મહત્વનો છે થાનમાં રહેતા મહેન્દ્રભાઈ છેલ્લા સાત વર્ષથી ગરબા બનાવે છે જેમાં અલગ અલગ ડીઝાઇન તેમજ ગરબાને પેઇન્ટ કરીને રંગ કરવો તેને ડિઝાઇન કરવી તેને ફિનિસિંગ કરવું, તે બધું કામ કરે છે અને તેનું વેચાણ પણ કરે છે આ ગરબો ત્રણ ઈંચથી લઈને બાર ઈંચ સુધીના ગરબા બનાવે છે આ ગરબાની કિંમત વિસ રૂપિયાથી લઈને બસો રૂપિયા સુધીની હોય છે એક ગરબાને સંપૂર્ણ તૈયાર કરતા પાત્રીસથી ચાલીસ મિનિટ જેટલો સમય લાગે છે ગરબા બનાવવા માટે આવતા કારીગરોને આ ગરબા બનાવીને સારી આવક મેળવી રહ્યા છે નવરાત્રિની સીઝનમાં 50,000 થી વધુ જેટલા ગરબા બનાવીને તેનું વેચાણ પણ કરે છે ઉલ્લેખનિય છે કે, આ ગરબા રાજ્યમાં તેમજ રાજ્ય બહાર પણ જાય છે નવરાત્રિના નવ દિવસમાં ઘણા લોકો આ ગરબો ઘરની અંદર સ્થાપન કરે છે તેમજ શેરીની ગરબી તેમજ મંદિરમાં પણ આ ગરબો મુકવામાં આવે છે અને ગરબાનું પણ મહત્વ પણ છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.