GUJARATSURENDRANAGARTHANGADH

સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો.

તા.14/08/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

નિવાસી અધિક કલેકટર એમ.પી.પટેલની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન યોજાયું.

15 ઓગસ્ટના રોજ થાનગઢ મેળાના મેદાન ખાતે જિલ્લા કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષ સ્થાને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે જેને અનુલક્ષીને આજરોજ થાનગઢ મેળાના મેદાન ખાતે નિવાસી અધિક કલેકટર એમ.પી.પટેલની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન યોજાયું હતું જેમાં પોલીસ જવાનો દ્વારા પરેડ, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના કાર્યક્રમોનાં રિહર્સલનું નિવાસી અધિક કલેકટરએ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન સૂચના આપી હતી આ રિહર્સલ તથા નિદર્શનમાં ચોટીલા પ્રાંત અધિકારી પ્રિયાંક ગળચર, નાયબ પોલીસ અધિક્ષક ચેતન મુંધવા, થાનગઢ મામલતદાર અરુણ શર્મા, જિલ્લા શિક્ષણાધિકારી કે.એન.બારોટ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!