GUJARATPANCHMAHALSHEHERA

શહેરાની સિંધી ચોકડી નજીક ચાઈનીઝની લારી પર ઉભેલા યુવાન પર ત્રણ ઈસમોએ જીવલેણ હુમલો કરી ઈજાઓ પહોંચાડતા શહેરા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

શહેરા

નિલેશકુમાર દરજી શહેરા

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા નગરના વૈદ્યનાથ ભાગોળ નજીક આવેલ ગુરુનાનક નગરમાં રહેતા પ્યારાસીંઘ કરનસીંઘ બાવરી ગત તા.૩૦ જાન્યુઆરીના રોજ સાંજના સમયે સિંધી ચોકડી ઉપર ચાઈનીઝની લારી ઉપર ઉભો હતો તે સમય દરમ્યાન રોહિતસીંઘ ઉર્ફે પ્રવિન્દરસીંઘ ગોવિંદસીંઘ ટાંક (બાવરી) રહે.સંજેલી, મલીન્દરસીંઘ ઉર્ફે મંલીસીંઘ માનસીંઘ ટાંક રહે.હાલોલ અને ગુરદીપસીંઘ બલુસીંઘ રહે.સંજેલી આ ત્રણેય ઈસમોએ આવી અગાઉના ઝઘડાની અદાવત રાખી પ્યારાસીંઘને કહેવા લાગેલ કે તે કેમ અમારા વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ છે તે કહી મા બેન સમાણી ગાળો બોલી ગડદાપાટુનો મારમારી રોહિતસીંઘે તેના હાથમાની પ્લાસ્ટિકની પીવીસી પાઈપ ખભા ઉપર મારી દીધી હતી,જ્યારે મલીન્દરે પણ પીવીસી પાઈપ બરડા અને માથાના ભાગે મારી દીધી હતી,જેને લઈને પ્યારાસીંઘ નીચે પડી ગયો હતો બુમાબુમ કરતા ફરીથી ઉભો થઇ નજીકમાં આવેલ કરિયાણાની દુકાન ઉપર જતો રહ્યો હતો,તે સમયે પણ આ હુમલો કરનાર ઈસમો કહેતા હતા કે જો તે પોલીસમાં ફરિયાદ કરી તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી ત્યાંથી જતા રહ્યા હતા.આ બનાવમાં પ્યારાસીંઘને ઈજાઓ થતાં સૌપ્રથમ શહેરા સરકારી દવાખાને ત્યારબાદ વધુ સારવાર અર્થે ગોધરા ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.ત્યારે આ સમગ્ર મામલે ભોગ બનનાર યુવક પર હુમલો કરનાર રોહિતસીંઘ ઉર્ફે પ્રવિન્દરસીંઘ ગોવિંદસીંઘ ટાંક (બાવરી) રહે.સંજેલી, મલીન્દરસીંઘ ઉર્ફે મંલીસીંઘ માનસીંઘ ટાંક રહે.હાલોલ અને ગુરદીપસીંઘ બલુસીંઘ રહે.સંજેલી આ ત્રણેય ઈસમો સામે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!