GUJARATJETPURRAJKOT

Rajkot: જેતપુર ખાતે ૨૫ ઓકટોબરના રોજ યોજાશે “તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ” કાર્યક્રમ, તા. ૧૦ સુધી પ્રશ્નો મોકલી શકાશે

તા.૩/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: રાજ્યના નાગરિકોના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નોનું ન્યાયિક તેમજ અસરકારક નિવારણ તાલુકા મથકે જ લાવવા યોજાતા “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’’ અન્વયે જેતપુર તાલુકા માટે તાલુકા કક્ષાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના પ્રશ્નો માટે આગામી તા.૨૫/૧૦/૨૦૨૩, બુધવારના રોજ ૧૧:૦૦ કલાકે, મામલતદારશ્રીની કચેરી, જેતપુર ખાતે નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી બ્રિજેશ કાલરીયાનાં અધ્યક્ષસ્થાને યોજાશે.

જેમાં સંબંધકર્તા લોકોએ ગ્રામ્ય કે તાલુકા કક્ષાએ લેખિત રજૂઆત કરેલ અનિર્ણિત પ્રશ્નો, ગ્રામ, નગરપાલીકા કે તાલુકા કક્ષાને સ્પર્શતા પ્રશ્નો અથવા તે સિવાયના પ્રશ્નોની રજૂઆત હોય તો જે તે સક્ષમ કચેરીને રજુઆત કરવાની રહેશે. અરજીના મથાળે ‘‘તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” માટેની અરજી એમ લખવાનું રહેશે. અત્રે એક જ વિષયને લગતી રજુઆતની અરજી બે નકલમાં આધાર પુરાવા સાથે મામલતદાર કચેરી, જેતપુર ખાતે તા.૧૦/૧૦/૨૦૨૩ સુધીમાં રજૂ કરવા, ત્યારબાદ રજુ થયેલ પ્રશ્નો ઉક્ત નિયત તારીખના કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહિ તેમ જેતપુર શહેર અને ગ્રામ્ય મામલતદારશ્રી ડી.એ ગીનીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!