યોગેશ કાનાબાર રાજુલા .અમરેલી
રાજુલા માં મિશન જય ભીમ રાજુલા દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું તાજેતર માં મણીનગર માં થઈ રહેલ તોફાનો માં બહુજન સમાજના આદિવાસી પરિવાર સાથે થઈ રહેલા અત્યાચાર અટકાવવા અને રાજ્ય માં શાંતિ અને સુરક્ષા સ્થાપવા તથા થોડા દિવસ અગાઉ મહિલા ને નિવસ્ત્ર કરી ફેરવવામાં આવેલ જે ધટના ના વિરોધમાં આરોપીને ફાંસી ની સજા કરવામાં આવે તેવી માંગણી આવેદન પત્રમાં કરવામાં આવેલ
મણિપુરમાં 3 મે ના રોજથી તોફાનો ફાટી નિકળ્યા છે જે હજુ સુધી અટકવાનું નામ નથી લઈ રહ્યા. દિવસે ને દિવસે હિંસક ઘટનાઓ સામે આવી રહી છે. આ તોફાનોમાં અત્યાર સુધી ૧૫૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે ૬૦,૦૦૦ થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. હાલમાં જ સોશ્યલ મિડીયા માં એક વિડીયો વાયરલ થયો છે જેમાં બે કુકી આદિવાસી મહિલાઓને નગ્ન કરીને રસ્તા પર ચલાવવામાં આવી રહી છે ત્યારબાદ સામુહિક બળાત્કાર પણ કરવામાં આવ્યાના સમચાર સામે આવી રહ્યા છે. આ ફક્ત એક જ ઘટના નથી પરંતુ આવી અન્ય ઘટનાઓ પણ કુકી આદિવાસીની મહિલાઓ સાથે થઈ છે.આટલું જ નહી પરંતુ કુકી આદિવાસીઓના ગામોને રંજાડવામાં આવી રહ્યા છે ઘરો સળગાવી દેવામાં આવ્યા છે અને કુકી આદિવાસીઓને તેમના ગામો ખાલી કરવા માટે મજબુર કરવામાં આવી રહ્યા છે. આ વિડીયો જે વાયરલ થયો છે તેન પરથી અનુમાન લગાવી શકાય છે કે તોફાનો કેટલા હિંસક અને ભયાવહ છે. જે કોઈ અપરાધી છે તે લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. મણિપુર હિંસા રોકવામાં ન્યાની ભાજપ સરકાર નિષ્ફળ રહી છે તથા દેશના વડાપ્રધાન પણ
આ હિંસાઓ રોકવા માટે પ્રયાસ કરી રહ્યા નથી જેથી આ ધટના ને ગભિર ગણી વહેલી તકે આ બાબતે સરકાર યોગ્ય કરે તેવી અમારી માંગણી છે
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.