IDARSABARKANTHA

દાંતીવાડા તાલુકાના મોટી મહુડી ગામે એક દિવસીય ખેડૂત શિબિર યોજાઇ

દાંતીવાડા તાલુકાના મોટી મહુડી ગામે એક દિવસીય ખેડૂત શિબિર યોજાઇ

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી અને ફૂડ ટેક્નોલોજી મહાવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અને પ્રાકૃતિક ખેતી અંતર્ગત એક દિવસીય ખેડૂત શિબિર દાંતીવાડા તાલુકાના મોટી મહુડી ગામે યોજાઈ. સદર કાર્યક્રમમાં ૫૫ જેટલા ખેડુત ભાઇ-બહેનોએ ભાગ લીધેલ. સદર કાર્યક્રમમાં ડો.આઈ. એન.પટેલ, આચાર્ય ફૂડ ટેક્નોલોજી મહાવિદ્યાલય, સરદારકૃષિનગરએ ભૂમિ સંરક્ષણનુ મહત્વ સમજાવી તેના સંરક્ષણ અંગેની પ્રતિજ્ઞા લેવડાવી હતી. શ્રી એસ.એમ.પટેલ, મદદનીશ પ્રાધ્યાપકે પ્રાકૃતિક ખેતી વિષે ખેડૂતોને સવિસ્તાર સમજાવેલ. ડો.એન.એન.પ્રજાપતિ, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિકે ધાન્ય પાકોનું મહત્વ અને તેની ઉપયોગીતા વિષે માહીતગાર કર્યા. ડો.એમ.એ.તુંવર, મદદનીશ પ્રાધ્યાપકે યુનિવર્સિટીની વિસ્તરણ, સંશોધન અને શિક્ષણ પ્રવૃતિઓ વિષે ખેડુતોને માહિતી આપેલ. અંતમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી એસ.એમ.પટેલ, મદદનીશ પ્રાધ્યાપક અને શ્રી તેજસ લીમ્બાચીયા દ્વારા કરવામાં આવેલ.

જયંતિ પરમાર સાબરકાંઠા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!