GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટમાં વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓએ રંગોળીઓ દ્વારા નાગરિકોને મતદાન કરવા જાગ્રત કર્યા
તા.૩/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: આગામી લોકસભા ચુંટણી અન્વયે તા.૭ મે અને મંગળવારના દિવસે મતદાન થનાર છે, ત્યારે સમગ્ર રાજકોટમાં વ્યાપક મતદાતા જાગૃતિ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ અચૂક કરવા માટે પ્રેરાય તે માટે રાજકોટની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓએ રંગોળીઓ દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ આપી રહ્યા છે.
જેમાં પરાપિપળીયા, મનહરપુર, રોણકી, વાજડીગઢ, બામણબોર,ગોમટા વગેરે શાળાઓમાં ‘મારો મત, મારો અધિકાર’,’વોટ ફોર ભારત’ જેવા સૂત્રો અને તિરંગાના રંગો, હાથમાં શાહીના નિશાન વગેરેની આકૃતીઓવાળી રંગોળી દ્વારા મતદાનનો સંદેશ આપ્યો હતો.