ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ સુધારણા માટે બે સરકારી કાર્યક્રમો તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાને શરુ કર્યા હતા. એક હતો ‘શાળા પ્રવેશોત્સવ’ અને બીજો હતો ‘ગુણોત્સવ.’ બન્ને કાર્યક્રમોમાં મુખ્યમંત્રીથી લઈ તમામ IAS/ IPS/ વર્ગ-1ના અધિકારીઓ જોડાતા હતા. જે પ્રાથમિક શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો વધુ હોય/ શાળાઓમાં બાળકીઓનું પ્રમાણ ઓછું હોય/ શિક્ષણ નબળું હોય તેવી શાળાઓ આખા ગુજરાતમાંથી પસંદ કરવામાં આવતી. મેં અનેક વખત ‘શાળા પ્રવેશોત્સવ’ અને ‘ગુણોત્સવ’માં ભાગ લીધો હતો. મને સમજાયું હતું કે આ બન્ને કાર્યક્રમો પાછળ સરકાર પબ્લિસિટી વધુ કરતી હતી અને કામ સાવ ઓછું થતું હતું.
‘દિવ્ય ભાસ્કર’ અખબારમાં 18 જાન્યુઆરી 2024ના રોજ ચોંકાવનારો અહેવાલ પ્રસિદ્ધ થયેલ છે. ASER-Annual Status of Education Report-2023 મુજબ ગુજરાત સહિત 26 રાજ્યોના ગામડાઓની શાળાઓનું શિક્ષણ એવું છે કે 14 થી 18 વર્ષના 25% વિદ્યાર્થીઓ માતૃભાષા પણ વાંચી શકતા નથી ! 42.7% વિદ્યાર્થીઓને અંગ્રેજી વાંચતાં આવડતું નથી ! 78.9% વિદ્યાર્થીઓ સરળ લંબાઈ માપી શકતા નથી! આ સર્વે દેશના 1664 ગામડાંના 30,074 વિદ્યાર્થીઓને સામેલ કર્યા હતા. અભ્યાસ છોડવાના કારણો જોઈએ તો 24.2% વિદ્યાર્થી અને 14.3% વિદ્યાર્થીનીને અભ્યાસમાં રુચિ નથી. 16.9% વિદ્યાર્થી અને 18.2% વિદ્યાર્થીનીને આર્થિક મુશ્કેલી છે. 12.9% વિદ્યાર્થી અને 20.3% વિદ્યાર્થીનીને પારિવારિક મુશ્કેલી છે. 13.4% વિદ્યાર્થી અને 12.9% વિદ્યાર્થીની નાપાસ થવાને કારણે અભ્યાસ છોડી દે છે. આ આંકડા એ પણ દર્શાવે છે કે બાળક કરતાં બાળકીઓને અભ્યાસમાં વધુ રુચિ છે, જ્યારે આર્થિક મુશ્કેલી અને પારિવારિક મુશ્કેલી બાળકના પ્રમાણમાં બાળકીઓને વધુ નડે છે ! નાપાસ થવામાં બાળકીઓનું પ્રમાણ બાળક કરતાં ઓછું છે ! જે બાળકો માતૃભાષા કે અંગ્રેજી વાંચી નથી શકતા તે ગરીબ સમુદાયના જ હશે ને?
બાળકોને ભણાવવામાં ન આવે તો આગળ જતાં ક્રાઈમના રસ્તે પણ ચડે. જે સરકાર શાળા પ્રત્યે બેદરકાર રહે છે, તે સરકારને ભવિષ્યમાં મોટી મોટી જેલ બનાવવી પડે છે ! મોટી મોટી જેલ બનાવવી તે કરતા શાળા પ્રત્યે જ ધ્યાન આપવામાં ઓછો ખર્ચ પણ લાગે ! પરંતુ સરકારને આ કેમ સમજાતું નહીં હોય? મોટાભાગના શિક્ષકોની ફરિયાદ હોય છે કે “આમને શાળામાં રહેવા દે તો ભણાવીએ ને? સરકાર જ નથી ઈચ્છતી કે શિક્ષકો બાળકોને ભણાવે !”
સરકાર શાળાના શિક્ષકોને પોતાની ફરજ બજાવવા ન દે તે જરા પણ ઉચિત નથી; પરંતુ સરકાર પોતે શિક્ષકોને ઉચ્ચ કક્ષાનો ઢોંગ શીખવાડે, તે તો ગાંડપણની હદ કહેવાય ! આવી વાત કોઈ ન માને ! પરંતુ આ સત્ય છે ! 10થી 12 જાન્યુઆરી 2024 દરમિયાન ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાઈ હતી; તે દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરની સરકારી અને ગ્રાન્ટેડ શાળાના 450 શિક્ષકોને, કંપનીના CEO-ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે ટાઈ-સૂટ-બૂટ પહેરાવીને, વાઈબ્રન્ટ સમારોહમાં વડાપ્રધાન અને અદાણી-અંબાણી સામે બેસાડી દીધાં હતા ! શિક્ષકોમાં એટિકેટની સમજ ન હોય તેમ માની 450 શિક્ષકોને બે દિવસ રિહર્સલમાં બોલાવીને તાલીમ આપી હતી ! ગાંધીનગર જિલ્લા કલેક્ટરે આ તાલીમની વ્યવસ્થા કરી હતી ! દરેક શિક્ષકોને ‘ઓલ એક્સેસ’ના આઈડી કાર્ડ આપવામાં આવ્યા હતા ! જ્યારે જિલ્લા કલેક્ટર જ નકલી CEO ઊભા કરી વાહવાહી લૂંટે તો કોને ફરિયાદ કરવી? શું શિક્ષકોને નકલી CEOની પણ કામગીરી કરવાની? જ્યાં આવી સરકાર/ આવા IAS અધિકારીઓ/ મંચ પરના આવા મહાનુભાવો હોય ત્યાં 25% વિદ્યાર્થીઓ માતૃભાષા વાંચી ન શકે ! 42.7% વિદ્યાર્થીઓ અંગ્રેજી વાંચી ન શકે ! ઢોંગથી ‘વિકાસ’ દેખાડી શકાય અને ‘વિશ્વગુરુ’ જરુર થવાય પણ શિક્ષણનો દાટ વળી જાય !rs
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.