DHORAJIRAJKOT

ધોરાજી પ્રાંત અધિકારીશ્રી જે.એન.લીખીયાના અધ્યક્ષસ્થાને એસ.સી.-એસ.ટી.ના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ સંદર્ભે બેઠક યોજાઈ

તા.૧૨ મે

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં પ્રાંત અધિકારીશ્રી જે.એન. લીખીયાના અધ્યક્ષસ્થાને અનુસુચિત જાતિ (એસ.સી.) અને અનુસુચિત જનજાતિ (એસ.ટી.)ના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ સંદર્ભે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં પ્રાંત અધિકારીશ્રી જે.એન. લીખીયા એ પ્રિ-મેટ્રીક તથા પોસ્ટમેટ્રીક સ્કોલરશીપના એસ.સી./એસ.ટી. વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટને આધાર કાર્ડ સાથે લીંક કરવા બાબતે ચર્ચા-વિચારણા કરી જરૂરી સૂચનો આપ્યા હતા.

તેમજ ધોરાજી તાલુકાના અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના તમામ ૩૮૩ વિદ્યાર્થીઓનો સંપર્ક કરી આ કામગીરી સત્વરે કરવા તાકીદ કરી હતી. આ બેઠકમાં બ્લોક રિસોર્સ કો-ઓર્ડીનેટરશ્રી ભાવિનભાઈ ધામેચા, નાયબ મામલતદારશ્રી તેજસભાઈ પંચાસરા અને ધવલ પરમાર સહીત વિવિધ બેંકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!