MORBI:મોરબી ચીફ જ્યુડી. મેજિસ્ટ્રેટ કૉર્ટ દ્વારા મારામારીના ગુનાના આરોપી પ્રવીણ ઉર્ફે પ્રેમજી ગોરાભાઈ પરમારને નિર્દોષ જાહેર કર્યો.
મોરબી ચીફ જ્યુડી. મેજિસ્ટ્રેટ કૉર્ટ દ્વારા મારામારીના ગુનાના આરોપી પ્રવીણ ઉર્ફે પ્રેમજી ગોરાભાઈ પરમારને નિર્દોષ જાહેર કર્યો.
હાલના કેસની ટૂંકી હકીકત એ છે કે, ફરિયાદી અને તેનો મિત્ર મોટરસાયકલ પર જઈ રહ્યા હતા ત્યારે મોટરસાઈકલ પર આવેલા આરોપી પ્રવીણ ઉર્ફે પ્રેમજી ગોરાભાઈ પરમારે પાસેથી પસાર થઇ અને ફરિયાદીને ગાડો આપી મારામારી કરી ફરિયાડી સાથે દુર્વ્યવહાર કર્યો, તથા આરોપીએ ફરિયાદીને પથ્થર વડે માર્યો હતો અને તેના બાઇકને નુકસાન પહોંચાડ્યું હતું તેથી ફરીયાદીએ ભારતીય દંડ સંહિતાની કલમ અને ગુજરાત પોલીસ એક્ટની કલમ હેઠળ ફરિયાદ નોંધવેલ. જે કામે આરોપી પ્રવીણ ઉર્ફે પ્રેમજી ગોરાભાઈ પરમાર ની પોલિસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ આરોપીએ આ કેશમાં બચાવ કરવા મોરબીના યુવા વકીલ શ્રી જે. ડી. સોલંકી ને રોકેલ.
આ કેસ મોરબી ના ચીફ જ્યુડી. મેજિસ્ટ્રેટ સાહેબ ની કૉર્ટમાં ચાલેલ અને આ કેસ માં ફરિયાદી, સહેદો, પંચો, તથા તપાસ કરનાર અધિકારીનો પુરાવો લેવામાં આવેલ તમામ પુરાવો પૂરો થતાં બચાવ પક્ષ દ્વારા દલીલ કરવા માં આવેલ કે આ કામે ફરિયાદીએ કે સહેદોએ ફરિયાદને સમર્થન થાય એવો પુરાવો આપેલ નથી પંચો પંચનામા બાબતે કશું જાણતા નથી પોલીસ દ્વારા જે પુરાવાઓ એકત્રિત કરેલ તે પુરાવા થી આ કેસ સાબિત થતો ના હોય ફરીયાદ પક્ષ દ્વારા કેસ વ્યાજબી શંકાથી આગળ સાબિત કરી શકેલ ન હોય. જેથી આરોપી ને નિર્દોષ છોડવા બચાવ પક્ષના યુવા વકીલશ્રી જે. ડી. સોલંકીએ કાયદાકીય દલીલ કરેલ. બચાવ પક્ષે કરેલ દલીલ માન્ય રાખી મોરબીના ચીફ જ્યુડી. મેજિસ્ટ્રેટ સાહેબશ્રી દ્વારા આરોપી પ્રવીણ ઉર્ફે પ્રેમજી ગોરાભાઈ પરમારને આ કેસમાં નિર્દોષ જાહેર કરેલ.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.