DAHOD

જેકોટ રેલ્વે સ્ટેશન પરથી પસાર થતી ટ્રેનની અડફેટે એક 60 વર્ષીય અજાણ્યા આધેડ ઈસમ કોઈ ટ્રેનની અડફેટે આવી જતા આધેડનું મોત

તા.૦૩.૦૭.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

 

દાહોદ શહેરના જેકોટ રેલ્વે સ્ટેશન પરથી પસાર થતી ટ્રેનની અડફેટે એક 60 વર્ષીય અજાણ્યા આધેડ ઈસમ કોઈ ટ્રેનની અડફેટે આવી જતા આધેડનું મોત નીપજાનું જાણવા મળે છે

ગતરોજ દાહોદના જેકોટ રેલવે ટ્રેક પરથી કોઈ ટ્રેન પસાર થતા એક 60 વર્ષીય અજાણ્યા વ્યક્તિ ટ્રેનની અડફેટે આવી જતા તેઓને હાથે પગે માથાના તેમજ શરીરના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચતા આધેડનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ સ્થાનિક રેલવે પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતકના મૃતદેહનો પોલીસે કબજો લઈ નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યા હતા ત્યારે આ સંબંધે દાહોદ રેલવે પોલીસ દ્વારા અકસ્માત મોતના ગુનાના કાગળો કરી મૃતકના પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!