JETPURRAJKOT

શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- રાજકોટ અને શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી

તા.૨૬ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

26મી જાન્યુઆરી નિમિત્તે શ્રી ખોડલધામ મંદિરે મા ખોડલને વિશેષ શણગાર

26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક પર્વની ઠેર ઠેર ઉજવણી થઈ છે. ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના નેજા હેઠળ કામ કરતી શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- રાજકોટ અને શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ દ્વારા રાજકોટ શહેરમાં આવેલા શ્રી સરદાર પટેલ ભવન ખાતે પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

74મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સવારે શ્રી સરદાર પટેલ ભવન ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી અને રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ઉપપ્રમુખશ્રી તુષારભાઈ લુણાગરીયા દ્વારા પ્રાસંગિક સંબોધન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સૌએ મીઠા મોં કરીને એકબીજાને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે ટ્રસ્ટીશ્રીઓ, સમાજ અગ્રણીઓ, વિવિધ સમિતિઓના સભ્યો, શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- રાજકોટના સભ્યો અને વિદ્યાર્થી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રજાસત્તાક પર્વે મા ખોડલને વિશેષ શણગાર

વિશ્વનું સૌપ્રથમ એવું મંદિર જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે તેવા શ્રી ખોડલધામ મંદિરમાં રાષ્ટ્રીય પર્વોની પણ હર્ષભેર ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આજ રોજ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શ્રી ખોડલધામ મંદિરમાં બિરાજમાન મા ખોડલના વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યા છે. મા ખોડલને કેસરી, સફેદ અને લીલા ફૂલોમાંથી બનેલો હાર અર્પણ કરવામાં આવ્યો છે. સાથે જ મા ખોડલની મૂર્તિ પાસે થતાં ફૂલોના શણગારમાં ફૂલોથી તિરંગો બનાવવામાં આવ્યો છે. સવારથી જ ભક્તો મા ખોડલના આ વિશિષ્ટ શણગારના દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!