JASDALRAJKOT

કોરોના મહામારીની અગમચેતીરૂપે જસદણ સરકારી હોસ્પિટલ ખાતે મોકડ્રીલ યોજાઈ

તા.૧૦ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોરોનાની સંભવિત મહામારીની અગમચેતી રૂપે જસદણ સરકારી હોસ્પિટલ ખાતે મોકડ્રીલ યોજાઈ હતી. સરકારી તંત્રના લડાયક યોદ્ધાઓએ કોરોના મહામારીની સંભવિત પરિસ્થિતિનો નીડરતાથી સામનો કરી નાગરિકોને સુરક્ષિત રાખવા માટેની પૂરતી તૈયારીઓનું નિદર્શન રજૂ કર્યું હતું.

જસદણ સરકારી હોસ્પિટલમાં મામલતદાર સંજયસિંઘ જે. અસવારે, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી સી.કે.રામ, સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશકુમાર સિન્હા, મેડીકલ ઓફિસર ડો. રાકેશ મૈત્રીની ઉપસ્થિતમાં ઓક્સિજન પ્લાન્ટ – વેન્ટીલેટર – સારવાર સહિતની વિવિધ સુવિધાઓનું પરીક્ષણ કરાયું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!