RAJKOTUPLETA

જામકંડોરણામાં અધિક કલેકટરશ્રી ઇલાબેન ચોહાણના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

તા.૨૭ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રજૂ થયેલા ૩૪ પૈકીના ૩૦ પ્રશ્ર્નોનો સ્થળ પર જ ઉકેલ

રાજયવ્યાપી ‘‘સ્વાગત સપ્તાહ’’ની ઉજવણી અન્વયે જામકંડોરણા મામલતદાર કચેરી સભા હોલ ખાતે અધિક કલેકટરશ્રી ઇલાબેન ચોહાણના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રજૂ થયેલા ૩૪ પૈકી ૩૦ પ્રશ્નોનું સ્થળ પર જ નિકાકરણ લાવવામાં આવ્યું હતું. અને બાકી રહેલ ૪ પ્રશ્નોને આગલી કાર્યવાહી અર્થે મોકલવામાં આવેલ છે.

અધિક કલેકટરશ્રી ઇલાબેન ચોહાણે પ્રજાના પ્રશ્નોનો નિકાલ કરવા માટે રાજયસરકાર દ્વારા આયોજીત કરાયેલા સ્વાગત સપ્તાહની ભૂમિકા રજૂ કરી હતી, અને ગ્રામ્ય નાગરિકોને આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે જામકંડોરણા સ્વાગત કાર્યક્રમમાં ગંગા સ્વરૂપ આર્થિક સહાય, અન્નપૂર્ણા યોજના, રાશન કાર્ડ, પી. જી. વી. સી. એલ. આંગણવાડી, પ્રાથમિક શિક્ષણ શાળા મકાન, માર્ગ મકાન વિભાગ, એસ. ટી. બસ સુવિધા ખેતીવાડી સહિતના વિભાગોના પ્રશ્નો રજૂ થયા હતા અને આ તમામ વિભાગોના અધિકારીશ્રીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પ્રશ્નોનુ ત્વરિત નિરાકરણ કર્યું હતું. જામકંડોરણા સ્વાગત સપ્તાહ કાર્યક્રમમાં કુલ ૩૯૫ પ્રશ્નો ઓનલાઇન નોધાયેલ જે તમામનો નિકાલ કરાયો હતો. આજના તાલુકા સ્વાગત કાર્યક્રમ માં રજુ કરવામાં આવેલ પ્રશ્નો પૈકી ૧૦ પ્રશ્નો તાલુકા સ્વાગતના અને ૨૪ પ્રશ્નો ગ્રામ સ્વાગત કાર્યક્રમના હતા.

આ પ્રસંગે ધોરાજીના પ્રાંત અધિકારી શ્રી જયેશ લિખિયા, જામકંડોરણા મામલતદાર શ્રી કે બી સાંગાણી, તાલુકા વિકાસ અધિકારી શ્રી એચ. એમ. ભાસ્કર, તાલુકા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડોડીયા, તેમજ સી. ડી. પી. ઓ. શ્રી એસ. જી. લાડાણી સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!