ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામમાં સબ સેન્ટર દવાખાનાનું બાધકામ છેલ્લા ત્રણ વર્ષથી બંધ હાલતમાં
તા.24/06/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામમાં સબ સેન્ટરનું દવાખાનાનું બાધકામ છેલ્લા ત્રણ વર્ષથી બંધ હાલતમાં સરપંચ દ્વારા રાજ્યના આરોગ્ય મંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામમાં દવાખાનાનું સબ સેન્ટરનું બાધ કામ ચાલુ હતું તે છેલ્લા ત્રણ વર્ષથી કામકાજ કોન્ટ્રાક્ટર દ્વારા અધૂરું મેકવામાં આવ્યું છે ત્યારે ગામના લોકો અને ખેતીવાડી કામ કરતા મજૂર લોકો બીમાર પડતા મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે મહિલાને પ્રસુતી કેસમાં ખુબ જ હેરાન થાય છે ત્યારે ગાજણવાવથી 15 કિલોમીટર દૂર ધ્રાંગધ્રા ઇમરજન્સી વાહન કરીને હોસ્પિટલ દવા લેવા માટે જવું પડે છે ત્યારે ગામના સરપંચ દ્વારા કેન્દ્રીય મંત્રી, તથા રાજ્યના આરોગ્ય ખાતાના મંત્રી તથા ધાંગધ્રા હળવદ ધારાસભ્ય અને જિલ્લા આરોગ્ય અધિકારી સહીત તમામ અધિકારીઓને આ બાબતે રજૂઆત કરવા છતાં પણ હજી સુધી કોઈ જવાબ નથી મળ્યો ત્યારે સરકાર દ્વારા આ કામ જલદીથી ચાલુ થાય તેવી લોકોમાં માંગ ઉઠી છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.