GUJARAT

ડેડીયાપાડા સસ્તા અનાજની દુકાનના સંચાલકો વિતરણ માટેનો જથ્થો નહીં ઉપાડે

ડેડીયાપાડા સસ્તા અનાજની દુકાનના સંચાલકો વિતરણ માટેનો જથ્થો નહીં ઉપાડે

તાહિર મેમણ : 23/08/2023 – ડેડીયાપાડા તાલુકા ફેર પ્રાઈઝ શોપ્સ એસોસિએશન ના કોઈ પણ રેશન ડીલર સપ્ટેમ્બર 2023 નો જથ્થો દુકાને કાર્ડ ગ્રાહકોને વિતરણ માટે નહીં ઉતારે એવી ચીમકી સાથે ડેડીયાપાડા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

પ્રાપ્ત વિગત મુજબ ડેડીયાપાડા તાલુકા ફેર પ્રાઈઝ શોપ્સ એસોસિએશન દ્વારા આજે ડેડીયાપાડા મામલતદાર ને આવેદનપત્ર આપીને જણાવવામાં આવ્યું હતું કે અસહકાર ચળવળ અંતર્ગત અમો તમામ ડીલરો સપ્ટેમ્બર 2023 નો જથ્થો સરકારી ગોડાઉન માંથી નહિ ઉપાડીએ તેવી ચીમકી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું અને તેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં રેશન ડીલરોના પડતર પ્રશ્નો બાબતે રાજ્યના બંને એસએસએશન ઘણા લાંબા સમયથી લેખિત અને મૌખિક રજૂઆતો આ બાબતે સરકાર સાથે અને સરકારના અધિકારીઓ સાથે પણ અનેક બેઠકો થઈ ચૂકી છે તેમાં સરકારશ્રીએ પડતર પ્રશ્નો અંગે ચોક્કસ નીતિવિષયક સર્વ સંમતિ સંધાઈ ગયા બાદ પુરવઠા વિભાગ પાસેથી દરખાસ્ત કરવાનું કમિટમેન્ટ કરવામાં આવેલ તેમ છતાં ઘણા લાંબા સમયથી પડતર પ્રશ્નોની સતત ઉપેક્ષા થઈ રહી હોય અને યોગ્ય હકારાત્મક જવાબ નહીં મળતા ગાંધી ચીંધ્યા માર્ગે સરકારશ્રીને રાજ્ય એસોસિએશન દ્વારા તારીખ 4-8- 23 ના રોજ ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી અને પુરવઠા મંત્રી, કેબિનેટ મંત્રી ને પણ પત્ર દ્વારા જણાવેલ છે કે અમારા રેશન ડીલર એસોસિએશન ને કમિટમેન્ટ મળેલ છતાં પણ અમારા પડતર માંગણીઓ લાંબા સમયથી વણ ઉકેલાઈ રહી નથી તેથી ના છુટકે મજબૂરીવસ આવી કારની મોંઘવારીમાં રાજ્ય લેવલના બંને એસોસિયેશનની સંયુક્ત ઉપક્રમે તારીખ 1-8-23 ના રોજ મળેલ સાધારણ સભામાં સર્વાનું મતે નક્કી થયા મુજબ આગામી સપ્ટેમ્બર 2023 નો જથ્થો ગુજરાતના કોઈપણ રેશન ડીલર દુકાને કાર્ડ ગ્રાહકોને વિતરણ માટે જથ્થો ઉતારશે નહીં તે નક્કી કરવામાં આવેલ છે તેથી ડેડીયાપાડા મામલતદાર ને આવેદનપત્ર આપી જાણ કરીએ છીએ અને નવીન ડીએસડી કોન્ટ્રાક્ટ ની કામગીરી પૂર્ણ થઈ ન હોય અને જૂના કોન્ટ્રાક્ટર કામગીરી કરવા સંમત ન હોય તેવું પણ જાણવા મળેલ છે તો અમો રેશન ડીલરો પણ ગોડાઉન પરથી પોતાના વાહન લઈને જથ્થો ઉપાડવાની કામગીરી કરવાના નથી તે વાત પણ સ્પષ્ટ કરી છે તેમ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું

એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર આર વસાવા અને ઉપપ્રમુખ જયદીપ માછી દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે ગોડાઉન માંથી આવતા અનાજ ની ઘટ નો પણ એક મોટો પ્રશ્ન છે તે પણ સરકાર દ્વારા ઉકેલવામાં આવતો નથી અને બીજું તાલુકાના 50 ટકા ડીલરો ને મળતું કમિશન પણ નહિવત જેવું મળે છે તો તેમને પણ પૂરતું વળતર મળે તેવી માંગ કરી છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!