19 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
વિદ્યાધામ -ભાગળ(પીં ) સંચાલિત શ્રી એસ. ડી.એલ. શાહ હાઈસ્કૂલમાં 15 મી ઓગસ્ટે સ્વયમ વાલી મંડળના સૌજન્યથી દાતા ભાગળ(પીં)ના સરપંચશ્રી અનિલભાઈ પટેલ દ્વારા એસ.એસ.સી અને એચ.એસ.સી પરીક્ષામાં પ્રથમ ત્રણ નંબરે આવેલા છાત્રો,પ્રિય બાળ અને શાળાકીય વિવિધ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. ઉચ્ચતર માધ્યમિક વિભાગના મ.શિ(1) કીફાયતુલ્લા એમ.જુણકિયા, (2)ઉર્વીબહેન આર.વૈષ્ણાની અને(3) ખ્યાતિબેન કે. શર્માએ પોતાના વિષયમાં 100%પરિણામ લાવવા બદલ વિદ્યાધામ-ભાગળ(પીં) ના પ્રમુખશ્રી, ટ્રસ્ટીશ્રીઓ અને આચાર્યશ્રી દ્વારા સન્માન કરાયું હતું. આ પ્રસંગે પાળજા મોતીભાઈ( પાલનપુર તાલુકા ભાજપના પ્રમુખ), કેતનભાઇ પટેલ (મહામંત્રી બનાસકાંઠા સરપંચ એસોસિએશન) ભાગળ (પીં ) પંચાયતના સરપંચશ્રી અને સભ્યશ્રીઓ, ડેરીના ચેરમેનશ્રીઓ, સ્વયમ વાલી મંડળના પ્રમુખશ્રી અને સભ્યશ્રીઓ, ગ્રામજનો અને વાલીઓ તેમજ આચાર્યશ્રી કિરીટકુમાર. જે.પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.