GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ જિલ્લા ફરિયાદ નિવારણ (C-VIGIL) કંટ્રોલ રૂમ ખાતે નોડલ ઓફિસર અને કર્મચારીઓની નિમણૂંક કરાઈ

તા.૨૦/૩/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: આગામી લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ ટૂંક સમયમાં યોજાનાર છે ત્યારે આદર્શ આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ થાય અને ચૂંટણી આદર્શ વાતાવરણમાં યોજાય તે માટે સમગ્ર જિલ્લામાંથી રજૂ થતી ફરિયાદોના મોનિટરિંગ તથા નિવારણ હેતુ જિલ્લા કક્ષાએ “C-VIGIL” કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.

આ અન્વયે ફરિયાદ નિવારણ સેલના નોડલ ઓફિસર તરીકે જી.એસ.ટી ઘટક-૨૩ રાજકોટના નાયબ કમિશનરશ્રી એચ. કે.સ્વામી તથા કંટ્રોલ રૂમ ખાતે સરકારી પોલીટેકનિક કોલેજના અધ્યાપકશ્રીઓ એસ.એમ. કોન્ઢીયા, શ્રી આર.પી.મેવાડા, શ્રી નીરજ કારેલીયા, એ.વી.પારેખ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટના અધ્યાપકશ્રીઓ જે.એ.આસલ અને શ્રી એમ.પી.ગિરનારી, સરકારી ઇજનેરી કોલેજના અધ્યાપકશ્રીઓ એ.કે.શુક્લ, શ્રી મઝહર અબ્દુલ્લા ધન્નકોટ, રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોનના આઇ.ટી. ડાયરેક્ટર શ્રી એસ.એમ ગોહિલ તથા પ્રોગ્રામર શ્રી ભાવેશ શાહ રાઉન્ડ ધ કલોક ડયુટી બજાવશે તેમ કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીની યાદી દ્વારા જણાવવામાં આવે છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!