JETPURRAJKOT

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી 

તા.૨૧ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટઃ યોગનો વધુને વધુ પ્રચાર-પ્રસાર થાય અને લોકો નિયમિત જીવનમાં યોગ અપનાવી શારીરિક અને માનસિક સ્વસ્થ રહે તે માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા 7 વર્ષથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ દિવસ નિમિત્તે રાજકોટ શહેરના સરદાર પટેલ ભવન ખાતેથી વર્ચ્યુઅલ યોગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને લોકોએ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ફેસબુક પેઈજ અને યુટ્યૂબ ચેનલ પર લાઈવ નિહાળ્યો હતો.

21 જૂન ને 2023 ને બુધવારના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, યોગ એ એક વિચાર છે. યોગને આપણે જીવનમાં અપનાવવા જોઈએ અને નિયમિત યોગ કરવા જોઈએ. શ્રી ખોડલધામ દ્વારા ઉજવાતા યોગ દિવસમાં દર વર્ષે કોઈ નવી બાબત રજૂ કરવામાં આવતી હોય છે. ત્યારે આ વર્ષના કાર્યક્રમમાં હઠ યોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત પ્રાણાયામ, આસન વિશે પણ પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વિશ્વ યોગ દિવસની ઉજવણીના આ કાર્યક્રમમાં ટ્રસ્ટીશ્રીઓ, કન્વીનર ભાઈઓ/બહેનો સહિતના લોકોએ શ્રી સરદાર પટેલ ભવને ઉપસ્થિત રહીને યોગ કર્યા હતા. આ કાર્યક્રમ દેશ-વિદેશમાં વસતાં લોકો ઘરે બેઠા નિહાળી શકે અને યોગ કરી શકે તે માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ઓફિશિયલ ફેસબુક પેઈજ, યુટ્યૂબ ચેનલ અને વેબસાઈટ પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેને મોટી સંખ્યામાં લોકોએ નિહાળ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!