તા.૧૭/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: “સ્વચ્છતા હી સેવા” અભિયાન જનભાગીદારી સાથે જન આંદોલન બન્યું છે ત્યારે રાજકોટ જિલ્લાના જસદણ નગર અને આ તાલુકાના આટકોટ, રણજીત, ગોળીયાધાર, ઝુંડાળા સહિતના ગામડાઓમાં સ્વચ્છતામાં કાર્યક્રમો તંત્ર દ્વારા લોકભાગીદારીથી યોજવામાં આવ્યા હતા.
આ સફાઈ ઝુંબેશમાં ગામનાં રોડ, જાહેર માર્ગો, શાળા કોલેજો, સરકારી કચેરીઓ, નદી કિનારો, અવેડાઓ, પ્રતિમાઓ સહિતની આસપાસની જગ્યાઓની સઘન સફાઈ કરવામાં આવી હતી. તેમ તાલુકા વિકાસ અધિકારીશ્રી એ.આર. પટેલે જણાવ્યું હતું.