હળવદના પીઆઈ કે.એમ.છાસીયા ની બદલીના વિરોધમા અનુસૂચિત સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર
હળવદના પીઆઈ કે.એમ.છાસીયા ની રાજકીય કિનાખોરી થી બદલી કરવાનો મામલો ગરમાયો છે. જેમાં મોરબી જિલ્લા અનુસૂચિત સમાજ દ્વારા આજે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરીને પુન સ્થાપિત કરવા માટે માંગ કરવામાં આવી છે નહીંતર પાટીદાર આંદોલન જેવું ઉગ્ર આંદોલન થશે અને સરકારી સંપતિ ને નુકશાન થાય તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
મોરબી જિલ્લા અનુસૂચિત સમાજે કલેકટરને આવેદન આપીને જણાવ્યું હતું કે, હળવદના પીઆઇ છાસિયાની તાજેતરમાં બદલી કરવામાં આવી છે. પણ આ પીઆઈની રાજકીય કિન્નાખોરીથી બદલી થયાનો આક્ષેપ કર્યો છે. હળવદ તાલુકામાં જુગારની રેડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. જેમાં જુગાર રમતા 10 વ્યક્તિઓને પોલીસે પકડી લીધા હતા. તેમાંથી એક વ્યક્તિ રાજકીય આગેવનનો સગો હોવાથી આ વ્યક્તિને બચાવવા હળવદના પીઆઇ વિરુદ્ધ ગાંધીનગરમાં ઉચ્ચકક્ષાએ ખોટી રજુઆત કરીને બદલી કરવામાં આવી છે. આ રીતે ખોટી બદલીઓથી પ્રમાણિક પોલીસ અધિકારીનું મોરલ ડાઉન થાય છે. તેથી ખોટી રીતે થયેલી હળવદ પીઆઈની બદલી રોકવાની માંગ કરી છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર