JETPURRAJKOT

જેતપુરમાં સિંધી સમાજ દ્રારા શ્રી ઝુલેલાલજીની જન્મ જયંતી નિમિત્તે જાહેર રજા કરવાની માગને લઈ મામલતદાર આવેદનપત્ર આપી રજૂઆત કરી

તા.૨૦ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લાના જેતપુરમાં સિંધી સમાજના દ્વારા જેતપુર મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું અને સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલજીની જયંતિ નિમિત્તે ઉજવાતા ચેટીચાંદ પર્વની જાહેર રજા હિન્દુ કેલેન્ડર પ્રમાણે જાહેર કરવામાં આવે તેવી માગ કરી છે.

સિંધી સમાજના લોકો રાજ્યના દરેક ખૂણે વસે છે. 23 માર્ચ 2023ના રોજ સિંધી સમાજના ઇષ્ટદેવ શ્રી ઝુલેલાલજી સાઈનો જન્મદિવસ હોઇ સમગ્ર સમાજના લોકો ખૂબ આસ્થા સાથે આ દિવસ ચેટીચાંદના તહેવાર રૂપે મનાવે છે. ત્યારે સરકાર દ્વારા 23 માર્ચના રોજ ચેટીચાંદની રજા જાહેર કરાયેલી નથી. આ અંગે સમાજ દ્વારા વારંવાર મૌખિક, લેખિત રજૂઆત કરેલી છે. પરંતુ સરકારે રજા જાહેર કરી ન હોવાથી વિદ્યાર્થીઓને શિક્ષણ, કર્મચારીઓને નોકરી જેવા પ્રશ્નોના કારણે અવ્યવસ્થા સર્જાય તેમ હોઇ સિંધી સમાજ પ્રત્યે સરકારનું નિષ્ક્રીય વલણ હોય તેવી લાગણી સમાજ અનુભવી રહ્યો છે. ત્યારે જેતપુરમાં સિંધી સમાજના અગ્રણીઓએ જેતપુર મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી 23 માર્ચના રોજ રજા જાહેર કરવાની માગ કરી છે. તેમજ દર વર્ષે તિથિ મુજબ આવતા દિવસે જ ચેટીચાંદની રજા જાહેર કરવા પણ સમાજે માગ કરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!