DHORAJIGUJARATRAJKOT

Dhoraji: ધોરાજીના ઝાંઝમેર ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અને “સેવાસેતુ કાર્યક્રમ” યોજાયો

તા.૨૮/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

આસપાસના ૧૫ જેટલાં ગામડાંઓના નાગરિકોએ સરકારની અનેકવિધ સેવાઓનો લાભ એક જ સ્થળેથી મેળવ્યો

Rajkot, Dhoraji: કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા નાગરિકો સુધી પહોંચાડવા માટે આયોજિત “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રાજકોટ જિલ્લામાં ધોરાજી તાલુકાનાં ઝાંઝમેર ગામે ધારાસભ્યશ્રી ડો. મહેન્દ્ર પાડલીયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી લઇ જન જન સુધી પહોંચી રહેલા આ રથનું ગ્રામજનોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

આ તકે ધારાસભ્યશ્રી ડો. મહેન્દ્ર પાડલીયાએ ગ્રામજનોને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, “છેવાડાના માનવી સુધી દરેક યોજનાઓના લાભ પહોંચે તે માટે અધિકારીઓ વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી ગામે ગામે પહોંચી પાત્રતા ધરાવતા નાગરિકોને લાભાન્વિત કરી રહ્યા છે. વર્ષ ૨૦૪૭માં જયારે દેશની આઝાદીને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે ભારત દેશને વિકસિત ભારત બનાવવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપનને ચરિતાર્થ કરવા માટે આપણે યથા યોગ્ય સહભાગી થવા પ્રયાસો કરવા જોઈએ. દરેક વર્ગના લોકોને લાભો મળે ત્યારે જ દેશ વિકસિત બની શકે. આ માટે આસપાસ રહેતા પરિવારજનો કે અન્ય કે જે કોઈ સરકારના લાભોથી વંચિત હોય તેઓને માહિતગાર કરી જરૂરિયાતમંદ દરેક વ્યક્તિ સુધી લાભ પહોંચાડવા જોઈએ.”

“વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના કાર્યકમની સાથે સાથે રાજય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ તેમજ પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સરકારી સેવાઓના લાભો લાભાર્થીઓને તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે મળી શકે તેવા ઉમેદા હેતુને ધ્યાને લઈ ધોરાજી તાલુકાનો “સેવા સેતુ કાર્યક્રમ” પણ યોજાયો હતો. જેમાં સરકારશ્રીના ૧૩ જેટલા વિભાગોની વિવિધ ૫૬ યોજનાકીય સેવાઓ એક જ સ્થળે ગ્રામ્ય નાગરિકોને વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી હતી. જેનો લાભ આસપાસના ૧૫ જેટલાં ગામડાંઓના નાગરીકોએ મેળવ્યો હતો.

આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા હેલ્થ ચેકઅપ કેમ્પ, પશુપાલન કેમ્પનો ગ્રામજનોએ લાભ મેળવ્યો હતો. “મેરી કહાની, મેરી ઝુબાની” અંતર્ગત લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વર્ણવ્યા હતા. ગામની સશકત કિશોરી, તેજસ્વી વિદ્યાર્થી, રમતવીરને મહાનુભાવોનાં હસ્તે પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓ દ્વારા સરકારના વિવિધ વિભાગની જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને ઉજ્જવલા યોજના અન્વયે ગેસ કીટ, આયુષ્માન કાર્ડ, સોઈલ હેલ્થ કાર્ડ, પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

“ધરતી કહે પુકાર કે” નામક નૃત્ય નાટિકા રજૂ કરી રસાયણથી થતી ખેતીના જમીન પરના દુષ્પ્રભાવ જણાવી લોકોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સંદેશ બાળાઓએ પાઠવ્યો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો પ્રજાજોગ વિકસિત ભારત સંકલ્પ અન્વયેનો રેકોર્ડ કરેલો સંદેશો સાંભળી લોક કલ્યાણકારી યોજનાઓનાં લાભાર્થીઓનાં પ્રતિભાવો દર્શાવતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા શપથ ગ્રહણ કર્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષશ્રી ભાનુબેન બાબરીયા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી રવિભાઈ વડાલીયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી રામભાઈ હેરભા, સરપંચશ્રી કિરણબેન બગડા, ગ્રામ અગ્રણીશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રી અંકિત પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી આર.વી.ગોહિલ, મામલતદારશ્રી એ. પી.જોશી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો. પી.એમ. વાછાણી, વિસ્તરણ અધિકારીશ્રીઓ એમ.પી.સોજીત્રા, ધર્મેન્દ્રભાઈ મહેતા, અજયભાઈ સાકરિયા, હાર્દિકભાઈ જાની, જયરાજસિંહ જાડેજા, પ્રદીપભાઈ ગોહેલ, હરેશભાઈ ઘોરી, સહીત પશુપાલન વિભાગ, આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, આઈ.સી.ડી.એસ., બેંક, મહેસુલ વિભાગ સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!