ARAVALLIMODASA

અરવલ્લી : શામળાજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : શામળાજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

યાત્રાધામ શામળાજી ખાતે આજે ગુરૂ પૂર્ણિમાના પાવન અવસરે હજારો ભક્તો ઉમય્યા હતા . હાજર ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરી હતી

અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરૂ પૂર્ણિમા તરીકે ઉજવાય છે આ દિવસે ગુરૂ પૂજનનું વિશેષ મહત્વ હોય છે ત્યારે કેટલાક ભક્તો ગુરૂ ગાદી જ્યારે કેટલાક ભક્તો પોતાના આરાધ્ય દેવના દર્શન કરી ગુરુ પૂર્ણિમા ઉજવતા હોય છે ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે પણ આજે ગુરૂ પૂર્ણિમાના પાવન અવસરે હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શને ઉમટયા હતા અને પોતાના ગુરૂ અને આરાધ્ય દેવના દર્શન કરી ધન્ય બન્યા હતા પૂર્ણિમાના પાવન અવસરે ભગવાન શામળીયાને સોનાના આભૂષણો અને સોનેરી ઝરીના વસ્ત્રો થી સાજ શણગાર કરાયા હતા તેમજ નિજ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું જે શામળિયાના દર્શન કરી હજારો ભક્તો ધન્ય બન્યા હતા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!