GUJARATIDARSABARKANTHA

હિંમતનગર મોતીપુરા એસ.ટી વિભાગીય કચેરી દ્વારા જન્માષ્ટમીએ શામળાજી દર્શનાથીઓ માટે એક્સ્ટ્રા બસો નું આયોજન કરવામાં આવ્યું

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરના મોતીપુરામાં આવેલ એસ.ટી વિભાગીય કચેરી દ્વારા પ્રથમવાર જન્માષ્ટમીએ શામળાજી આવવા-જવા માટે શ્રદ્ધાળુઓ અને દર્શનાથીઓ માટે એક્સ્ટ્રા ૭૦ એસ.ટી બસોના સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું.. પરંતુ સામે ૮૨ એસ.ટી બસો દોડી હતી.. જેને લઈને એસટી વિભાગને ૭.૨૩ લાખની આવક થઇ હતી…

અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાના દર્શને જન્માષ્ટમીએ રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ અને દર્શનાથીઓ આવે છે.. જેને લઈને હિમતનગર એસટી વિભાગના સાબરકાંઠાના હિમતનગર, ઇડર, ખેડબ્રહ્મા અને પ્રાંતિજ અને અરવલ્લી જીલ્લાના મોડાસા, બાયડ, ભિલોડા, ગાંધીનગર જીલ્લાના માણસા મળી આઠ એસટી ડેપોમાં એક્સ્ટ્રા ૭૦ એસટી બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.. જોકે પાંચ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન એક્સ્ટ્રા એસટી બસો દોડી હતી.. જેમાં પાંચ દિવસ દરમિયાન કુલ ૩૬૪ એસટી બસો દોડી હતી.. જેમાં ૭ લાખ ૩૯ હજાર ૫૬૮ મુસાફરોએ મુસાફરી કરી હતી. જેના સામે પાંચ દિવસમાં કુલ રૂપિયા ત્રણ કરોડ ૬૪ લાખ ૩૬ હજાર ૩૩૬ની આવક થઇ હતી…

હિમતનગર એસટી વિભાગીય કચેરી દ્વારા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે પણ ૯૯ એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું હતું.. જ્યારે જન્માષ્ટમીએ પણ ૮૨ એસટી બસોનું આયોજન કરવામાં આવ્યું હતું.. આગામી દિવસમાં ઇડરના જાદર મુકામે યોજાનાર ત્રિદિવસીય મેળો યોજવાનો છે ત્યારે એસટી વિભાગીય કચેરી દ્વારા અંદાજીત એક્સ્ટ્રા ૪૦ મીની એસટી બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.. તો રાજ્યમાં ડાકોર, દ્વારકા અને શામળાજીમાં જન્માષ્ટમીનો ઉત્સવ યોજાય છે.. જેને લઈને પ્રથમ વાર શામળાજી ખાતે એક્સ્ટ્રા એસટી બસો મુકવાનું આયોજન કર્યું હતું.. જેમાં મુસાફરોનો સારો આવકાર મળ્યો છે. અને ખાસ કરીને ઇડર, ભિલોડા, વિજયનગર, બાયડ અને મોડાસાના ભક્તોએ મોટી સંખ્યામાં એસટી બસનો લાભ લીધો છે…

જયંતિ પરમાર સાબરકાંઠા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!