ARAVALLIGUJARATMODASA

અરવલ્લી પોલીસ વૈભવી આરોપીઓને તપાસના નામે છાવરે છે કે પછી કોઈની શરમ આડે આવે છે..? એક મહિનો વીતવા છતાં ફરિયાદ કેમ નહિ..?

મોડાસા શહેરના એક વેપારીના આપઘાતની ઘટનામાં સોસાઈડ નોટ મળી, એક મહિનો વીતવા છતાં ફરિયાદ કેમ નહિ?

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી પોલીસ વૈભવી આરોપીઓને તપાસના નામે છાવરે છે કે પછી કોઈની શરમ આડે આવે છે..? એક મહિનો વીતવા છતાં ફરિયાદ કેમ નહિ..?

મોડાસા શહેરના એક વેપારીના આપઘાતની ઘટનામાં સોસાઈડ નોટ મળી, એક મહિનો વીતવા છતાં ફરિયાદ કેમ નહિ?

અરવલ્લી જિલ્લા પોલીસની કામગીરી થી લોકો વાકેફ છે.મોડાસા માર્કેટયાર્ડના એક વેપારીએ 25 દિવસ પૂર્વે ઝેરી દવા ઘટઘટાવી દેતા,વેપારીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું,વેપારીએ જીવન ટૂંકાવતા પહેલા એક સોસાઈડ નોટ લખી હતી,જેમાં ત્રણના નામનો ઉલ્લેખ છે.વેપારીના પરિજનોને ન્યાય મળે તે માટે પોલીસને આજીજી કરી રહ્યા છે.પોલીસ આવી ઘટનાને લઈ ગંભીર હોય પરંતુ પોલીસને પણ કોઈનું સાંભળવું પડતું હોય એટલે વિલંબ થાય એ વાત સાચી હશે,પણ અહીં વાત ફરિયાદ કેમ નથી નોંધાતી નથી જેને લઈ અનેક સવાલો ઉઠતા હોય છે,બે માસ પૂર્વે ભિલોડા ના એક વેપારી એ પોતાની ખાનગી રિવોલ્વર થી ગોળી મારી આપઘાત કરી લીધો હતો,જેનો આપઘાત પહેલાનો વિડીયો વાયરલ થયો હતો,ભિલોડા પોલીસે વાયરલ વિડીયો અને અન્ય આધાર પુરાવા સાથે આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી,આવી તો ભૂતકાળમાં અનેક ઘટના ઓ માં પોલીસે ગણત્રીના કલાકોમાં ફરિયાદો નોંધી છે.એ જગ જાહેર છે.પરંતુ મોડાસા શહેરના વેપારી કરેલા આપઘાતની ઘટના ને એક માસ જેટલો સમય વીતવા આવ્યો છતાં ફરિયાદ નોંધવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે,કે પછી મામલાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેવા અનેક સવાલો ચર્ચાનો વિષય બન્યો છે,અરવલ્લી પોલીસવડા વેપારીએ કરેલ આપઘાત ની ઘટનામાં ચોક્કસ તપાસ કરાવી,મૃતકના પરિવારજનો ને ન્યાય અપાવે તેવી માંગ ઉઠી છે,

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!