ધાંગધ્રા શહેરમાં સામાન્ય બોલાચાલીમાં ધોળા દિવસે યુવાનને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી રફુચક્કર
તા.16/09/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં રાજકમલ ચોક નજીક ભરબજારે ધોળા દિવસે ઘાતકી હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે જેમાં ધ્રાંગધ્રા શહેરની માનમહેલાત સામે રહેતા મહમદકેફ રમજાનભાઈ કુરેશીને બે દિવસ અગાઉ પોતાના ઘર નજીક સામાન્ય માથાકૂટ થઇ હતી જેનું મન દુઃખ રાખી બે યુવાનોએ આજે ભરબજારે ધોળા દિવસે મહમદકેફ રમજાનભાઈ કુરેશી 19 વર્ષને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી ઘટના સ્થળેથી રફુચક્કર થઇ ગયા હતા ધ્રાંગધ્રા શહેરમાં ભર બજારે યુવાનની છરીના ઘા ઝીંકી ક્રૂર હત્યાની ઘટનાથી સોપો પડી ગયો હતો જેમાં ધ્રાંગધ્રા સિટી પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ મૃતક મહમદકેફ કુરેશીની લાશને પોસ્ટ મોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હત્યા અંગેનો ગુન્હો દાખલ કરી હત્યારાઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.