તા.૭/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: લોકશાહીના મહાપર્વ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં રાજકોટ જિલ્લાના વધુને વધુ મતદારો મતદાન કરી પોતાની નૈતિક ફરજ બજાવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમ અને ઘરે-ઘરે રૂબરૂ મુલાકાત લઈ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ૬૮- રાજકોટ પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં જિલ્લા પુરવઠા અધિકારી શ્રી રાજેશ્રીબેન વંગવાણીના માર્ગદર્શન અંતર્ગત, મામલતદાર રાજકોટ પૂર્વ દ્રારા મતદાર જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.
આ ઝુંબેશ હેઠળ રાજકોટના લોકો કોલોની, કોન્સ્ટિટયુશન કોલોની તથા આર.ઓ.બી. કવાર્ટર્સ વિસ્તારમાં વોર્ડ ઓફિસરશ્રી દ્વારા ઘરે- ઘરે મુલાકાત લઈ મતદારોને જાગૃત કરવામાં આવ્યા હતા. મતદારોને મતદાન વિશેની સમજૂતી આપી, ચૂંટણીમાં અચૂક મતદાન કરવા તથા કરાવવા માટે અપીલ કરવામાં આવી હતી તેમ મામલતદારશ્રી રાજકોટ પૂર્વની યાદીમાં જણાવાયું છે.