BANASKANTHAGUJARATPALANPUR

અંબાજી ભાદરવી પૂનમના મેળા માં દર્શનાર્થે આવતા માઈ ભક્તો માટે આરોગ્યલક્ષી સેવા પૂરી પાડવા માટે   ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવશે

21 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ગુજરાત સરકાર અને EMRI GREEN HEALTH SERVICES દ્વારા ચાલતી ૧૦૮ એમ્બ્યુલન્સ નિ:શુલ્ક સેવા જે લોકો માટે એક વરદાન રૂપ સાબિત થઈ છે અને અણમોલ મહામૂલી જિંદગીઓ બચાવી છે અને આ વખતે બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે વહીવટી તંત્ર અને વિવિધ વિભાગ ના અધિકારીઓ દ્વારા ભાદરવી મેળા નું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં લાખો ની સંખ્યામાં દર્શનાર્થે આવતા માઈ ભક્તો ના આરોગ્ય ને ધ્યાન માં રાખી ને  EMRI GHS ૧૦૮ દ્વારા અંબાજી અને તેની આજુબાજુ માં વિવિધ જગ્યાએ દૂર દૂર થી આવતા માઈ ભક્તો ને આરોગ્યલક્ષી સુવિધા ઓ મળી રહે તે માટે નું આયોજન કરવામાં આવ્યુ છે અને આ મેળા દરમિયાન અલગ અલગ પ્રકારના ઈમરજન્સી કોલ આવતા હોય છે જેમાં પ્રસુતિ ની પીડા, ટ્રોમા , પડી જવાથી ,ચક્કર આવવા , રોડ અકસ્માત(એકસીડન્ટ), શ્વાસ ની તકલીફ,તાવ , ઝેરી જાનવર કરડવાના , પેટમાં દુખાવો , મારામારી જેવી અનેક પ્રકાર ની મેડિકલ ઈમરજન્સી માં અધતન સાધનો અને જરૂરી દવાઓ સાથે  એમ્બ્યુલન્સ સ્થળ પર સ્ટેન્ડબાય રાખવામાં આવશે.વિવિધ સ્થળોએ ૧૧ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ અને તેમાં ૫૦ જેટલા તાલીમ બધ્ધ ઈ.એમ.ટી અને પાઈલોટ કર્મચારીઓ ૨૪/૭ નિ:શુલ્ક સેવા દ્વારા તાત્કાલીક સારવાર આપી ને લોકો ના જીવ બચાવશે.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!