વાત્સલ્યમ્ સમાચાર
પ્રિતેશ પટેલ વાંસદા ,
ગાંવ ચાલો અભિયાન અંતર્ગત કાવડેજ ગામે વિસ્તારકની મુલાકાત લીધી.
ભારતમા આઝાદીના અમૃતકાળ મહોત્સવ ઉજવણી દરમ્યાન દેશ ના આદરણીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે 2047 માં ભારત વિકસિત રાષ્ટ્ર બને અને દુનિયાના દેશોની હરોળમાં ઉભું રહી શકે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું આયોજન કરી ભારતના ગામડામાં વસેલા છેવાડના ગરીબ, વંચિત અને અતિ પછાત લોકો સુધી રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજના ઓનો લાભ પ્રાપ્ત થાય પ્રચાર પ્રસાર કરી લોકોમાં જાગૃતિ કેળવાય તે માટે ગાંવ ચાલો અભિયાન અંતર્ગત વાંસદા તાલુકામાં કાવડેજ ગામમાં વિસ્તારક તરીકે મુલાકાત લેતા વાંસદા તા. પંચાયતના મા. ઉપ પ્રમુખ શ્રી દશરથભાઈ ભોયા તથા સંયોજક શ્રી મોહનભાઈ ચૌધરીએ બુથના પ્રમુખને સાથે રાખી ઘરે ઘરે મુલાકાત લઇ સરકારની વિવિધ યોજનાની માહિતી આપી પાર્ટી ની ગાઈડ મુજબ કામગીરી કરવામાં આવી.