KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ભાથીજી મંદિર પાસે કરિયાણાની બે દુકાનોના તાળા તોડતા તસ્કરો પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલ

તારીખ ૨૪ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

ગુરૂવારની મધ્યરાત્રી બાદ કાલોલ બસ સ્ટેન્ડ નજીક ભાથીજી મંદિર અને બસ સ્ટેન્ડના પાછળના ભાગમાં ઉપરા ઉપરી બે પ્રોવિઝન સ્ટોર ની દુકાનોના તાળા તસ્કરોએ તોડતા બસ સ્ટેન્ડ વિસ્તારના વેપારીઓમાં ડરનો માહોલ છવાઈ ગયો છે. તસ્કરો દ્વારા નંદ પ્રોવિઝન સ્ટોર ની દુકાન નુ શટર તોડી ચોરી નો પ્રયાસ કરેલ પણ કોઈ ચીજ વસ્તુઓ ચોરાઈ નથી નજીકમાં આવેલ પ્રિયાંક પ્રોવિઝન સ્ટોર નું શટર ઉંચુ કરી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા પણ કોઈ રોકડ રકમ મળી નહોતી જેથી કરીને કાજુ બદામ લઈ ગયા હોવાની માહીતી મળી છે.કાલોલ ખાતે રામ નવમી નો તહેવાર હોઈ ભાથીજી મંદિર પાસે સ્થાનિકો તોરણ બાંધવાનુ અને ધ્વજ લગાવવાનું કામ રાત્રીના બે વાગ્યા સુધી કરી રહ્યા હતા ત્યારબાદ દુકાનોના તાળા તૂટયા હોવાનુ મનાય છે ત્યારે કાલોલ નાં બસ સ્ટેન્ડ જેવા ભરચક વિસ્તારમાં દુકાનોનાં શટર તૂટતા સ્થાનીક પોલીસ દ્વારા આ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવાની માંગ ઉઠી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!