JUNAGADHMANGROL

માંગરોળ: આધારકાડૅ સેન્ટરની સમસ્યાને લઈ આપ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આજરોજ શહેર અને તાલુકાની પ્રજાને સંબંધિત કામગીરી માટે પડી રહેલી હાલાકી નિવારવા આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને રજૂઆત કીટની સંખ્યા વધારવા માંગણી કરી હતી.

જેમાં જણાવ્યું હતું કે માંગરોળમાં મામલતદાર કચેરી ખાતે આઘારકાડૅ બનાવવા માટે 18 વષૅથી ઉપરના લોકો માટે એક જ કીટ કાયૅરત છે તેમાં આખા દિવસમાં 30 વ્યકિતના આઘારકાડૅ બની શકે છે. જ્યારે કચેરીએ દરરોજ 80થી 100લોકોની લાઈન હોય છે.

લોકો પોતાના વેપાર ધંધા, મજુરી મુકી બે ત્રણ ધક્કા ખાય ત્યારે માંડ કામ પૂણૅ થાય છે. આ ઉપરાંત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને પોસ્ટ ઓફિસે પણ એક એક કીટ કાયૅરત છે. પરંતુ ત્યાં પણ લોકોને મોટેભાગે ધક્કા જ થાય છે. કયારેક ઓપરેટર હોતા નથી તો કયારેક સવૅર ડાઉન હોવાની ફરિયાદો સાંભળવા મળે છે લાંબા સમયથી લોકોની પડી રહેલી મુશ્કેલી નિવારવા વધુ એક કીટ કાયૅરત કરવા માંગ કરી છે.

——– રિપોર્ટર વસંત અખિયા—– માંગરોળ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!