MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા- લખધીરગઢ ગામે શ્રી કષ્ટભંજન હનુમાનજી તથા શ્રી બહુચરાજી માતાજીની નવનિર્મિત મંદિર માં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

ટંકારા- લખધીરગઢ ગામે શ્રી કષ્ટભંજન હનુમાનજી તથા શ્રી બહુચરાજી માતાજીની નવનિર્મિત મંદિર માં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ  યોજાશે.

હર્ષદરાય કંસારા ટંકારા: ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે શ્રી કષ્ટભંજન હનુમાનજી તથા શ્રી બહુચરાજી માતાજીની નવનિર્મિત મંદિર માં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 3 થી 5 ફેબ્રુઆરીના રોજ યોજાશે.
ટંકારા તાલુકાના વખત લખધીરગઢ ગામે બાલાજી પોલિપેક તથા નેચરલ ટેકનો ફેબ ના પટાગણમાં, અમરસીભાઈ દેવશીભાઈ પનારા, દેવેન્દ્રભાઈ અમરશીભાઈ પનારા તથા જગદીશભાઈ અમરશીભાઈ પનારા દ્વારા નૂતન મંદિર નિર્માણ કરાયેલ છે.
આ મંદિરમાં શ્રી કષ્ટભંજન હનુમાનજી તથા શ્રી બહુચરાજી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 3 થી 5 ફેબ્રુઆરીના રોજ શાસ્ત્રી શ્રી હિંમતભાઈ જોશી હજનાડીવાળા તથા બળવંતરાય એમ દવે મોરબી વાળાના આચાર્ય પદે યોજાયેલ છે.

 


આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 3 4 અને 5 ના રોજ યોજાશે. તારીખ 3 ના રોજ ગણપતિ પૂજન, હવન તથા પૂજા આરતી થશે .તારીખ 4 ના રોજ જલયાત્રા શોભાયાત્રા તથા પૂજા અર્ચના થશે. તારીખ 5 ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ થશે.તારીખ 3 ને રાત્રે સુંદરકાંડના પાઠ તથા ધુન ભજન અને તારીખ 4 ના રોજ ભજન ડાયરો અને રાસ ગરબા યોજાશે.


આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પરમ પૂજ્ય રાજકુમાર દાસજી મહારાજ અધિકારી શ્રી રામ વલ્લભ કુંજ જાનકી ઘાટ અયોધ્યા યુપી વિશેષ ઉપસ્થિત રહેશે આ ઉપરાંત આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંતશ્રીઓ મહંત શ્રીઓ રાજકીય સામાજિક સહકારી આગેવાનો તથા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!