તા.૫/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
સ્વાતંત્ર્ય દિન – ૨૦૨૩ની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણીમાં રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા કલાકારોનું સન્માન કરવામાં આવશે, આથી આ સન્માન મેળવવા માગતા કલાકારોએ ૭ ઓગસ્ટ સુધીમાં અરજી કરવાની રહેશે.
જિલ્લા રાજકોટ વહિવટીતંત્ર દ્રારા વિંછીયા ખાતે સ્વતંત્રતા દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્રારા આયોજીત વિવિધ કલાક્ષેત્રની સ્પર્ધાઓ જેવી કે બાળ પ્રતિભા શોધ સ્પર્ધા, યુવા ઉત્સવ,કલા મહાકુંભ, ઓસમ/ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા,નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા, શ્રી અરવિંદ ઘોષની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલ સ્પર્ધાઓમાં વર્ષ:૨૦૨૨-૨૩માં રાજયકક્ષા/રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ, દ્રિતિય અને તૃતિય ક્રમે વિજેતા થનાર રાજકોટ જિલ્લાનાં સ્પર્ધક/કલાવૃંદનું સન્માન કરવામાં આવશે તેમજ રાષ્ટ્ર કક્ષાએ સાંસ્કૃતિક કાર્યક્રમના વિજેતા કલાકારોનું સન્માન કરવામાં આવશે.
સન્માન મેળવવા ઈચ્છતાં રાજકોટ જિલ્લાનાં સ્પર્ધક/કલાકારોએ પોતાનું નામ, સરનામું, સ્કુલનું નામ/સરનામું, મેળવેલ નંબર, વર્ષ, સ્પર્ધાનું સ્થળ, મોબાઈલ નંબરની વિગત, ઓળખના પુરાવા તેમજ મેળવેલી સિધ્ધિનાં પ્રમાણપત્રની નકલ સાથેની અરજી તા.૦૭/૦૮/૨૦૨૩ બપોરે ૧૨ સુધીમાં મળે તે રીતે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ગ્રામ્ય કચેરી ૫/૫ (અથવા શહેર કચેરી ૭/૨), બહુમાળી ભવન, રેસકોર્ષ રોડ, રાજકોટ” ખાતે રૂબરૂ/ટપાલથી મોકલી આપવાની રહેશે.
પસંદગી પામેલ સ્પર્ધક-કલાકારોને વિંછીયા ખાતે આયોજીત જિલ્લાકક્ષા સ્વાતંત્રદિન ૨૦૨૩ ઉજવણી કાર્યક્રમમાં સન્માન મેળવવા ઉપસ્થિત રહેવા ટેલીફોનથી જાણ કરવામાં આવશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.વી.દિહોરાની યાદીમાં જણાવાયુ છે.