તા.04/07/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ચોટીલા પંથકમાં જોરદાર વરસાદ પડતા ખેડૂતોને કરેલ વાવણી અને બિયારણ તેમજ પાકને બચાવવા ખાતરની જરૂરીયાત છે આવા સમયે યુરિયા ખાતરની કોઇ કારણોસર બજારમાં અછત સર્જાતા ખેડૂતો વાકાનેર, જસદણ કુવાડવા, રાજકોટ જેવા નજીકના વિસ્તારમાં ખાતર લેવા જાય છે અને ત્યાં પણ નહી મળતા નાણાં અને સમય નો વેડફાટ થાય છે ખાતરની તંગી નિવારવા અને પુરતું ખાતર સમયસર મળી રહે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે ખાતર નહીં હોવાથી કેન્દ્ર ઉપર પણ અલીગઢીયા તાળા લાગેલા હોય છે અને ખાતર માટે ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા છે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને ખેડૂત આગેવાન આંબાભાઇ ઓળકિયા એ ખાતર ની તંગી માટે તપાસ અને નિવારણ માટે સરકારમાં રજૂઆત કરી છે અને જણાવ્યું છે કે તાલુકામાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ મગફળી, કપાસ, જુવાર, બાજરા સહિતનાં ધાન્ય પાકનું વાવેતર કરેલ છે હાલ આ પાક ઉગી ને તૈયાર થયા છે જેને યુરિયા ખાતરની જરૂરીયાત ઉભી થયેલ છે પરંતું છેલ્લા દશ દિવસ થી તાલુકામાં ખાતર મળતું નથી એટલે ખેડૂતો ખાતર લેવા માટે નજીકના તાલુકામાં ભાટકે છે ત્યાં પણ ન મળે તો વિલા મોઢે પાછા આવે છે આ તાલુકો ધણી ધોરી વિનાનો છે નથી કોઈ રાજકીય આગેવાન મદદ કરતા કે નથી કોઈ અધિકારીઓ મદદ કરતા ખેડૂતોને અત્યારે યુરિયા ખાતરની તાતી જરૂરીયાત છે તાત્કાલિક યુરિયા ખાતર આપવામાં નહીં આવે તો વિસ્તારનાં ખેડૂતો ખાતર માટે સરકાર સામે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે ચોટીલા તાલુકાના ચુંટાયેલા નેતાઓ અને આગેવાનો વિસ્તારની અનેક લોક સમસ્યા છે જેના નિવારણ માટે જાગૃતતા દાખવી નિરાકરણ લાવે તેવી લોકમાંગ ઉઠી છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.