GODHARAPANCHMAHAL

કાંકણપુર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાત દિવસીય વાર્ષિક શિબિરની શુભારંભ કરાયો

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી શહેરા

કાંકણપુરની શ્રી જે.એલ.કે કોટેચા આર્ટસ એન્ડ શ્રીમતી એસ.એચ ગાર્ડી ર્કોમર્સ કોલેજમાં સાત દિવસનો વાર્ષિક શિબિર કાંકણપુરમાં યોજવામાં આવી રહ્યો છે. આ શિબિરના ઉદ્ઘાટન સમારોહમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્યશ્રી ડૉ. કુમાર જૈમિનિ શાસ્ત્રી સાહેબે શાબ્દિક પ્રવચન કર્યું .તેમજ મહેમાનોને હૃદય પૂર્વક આવકાર પણ આપ્યો હતો. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ઈ.સી .સભ્ય ડૉ. મહેશભાઈ પટેલ રાષ્ટ્રીય સેવા યોજના એટલે સ્વયંશિસ્ત ,નેતૃત્વ ,વ્યક્તિગત વિકાસ તેમજ રાષ્ટ્ર ભાવના હોવી જોઈએ. એન.એસ.એસ .પ્રોગ્રામ ઓફિસર ડૉ.મહેશભાઈ રાઠવાએ સાત દિવસના કેમ્પની રૂપરેખા આપી હતી. જેમાં ગામ સર્વે, સ્ત્રીરોગ ,મેડિકલ ટેસ્ટ ,સફાઈ કામ, સરકારી યોજના ,વિવિધ પ્રકારની હરીફાઈ ,સાયબર ક્રાઇમ, ટ્રાફિક નિયમન, ઉદ્યોગસાહસિક ,g20 અંગેની શિબિરમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. કાર્યક્રમનું સંચાલન ડૉ.ઉષાબેન પટેલે કર્યું હતું. આ કાર્યક્રમમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ઇ. સી. સભ્ય ડૉ. મહેશભાઈ પટેલ, સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મૌલિનભાઈ શાહ ,સેક્રેટરી મુકેશભાઈ શાહ , ટ્રસ્ટી નલીનભાઈ શાહ ,કાંકણપુર કોલેજના આચાર્ય ડૉ. કુમાર જૈમિનિ શાસ્ત્રી સાહેબ .પાંચ પ્રકલ્પના કોર્ડીનેટર પી.એમ. અમીન ,સી.ડબ્લ્યુ .ડી.સી. કન્વીનર ઉષાબેન પટેલ , સાયન્સ કોલેજ અને બીએડ કોલેજમાંથી પધારેલ અધ્યાપકશ્રીઓ અને આચાર્યશ્રીઓ, કાંકણપુર કોલેજના અધ્યાપકશ્રીઓ તેમજ એન.એસ.એસ.ના સ્વયંસેવકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન કર્યું હતું અંતમાં આભાર વિધિ ડૉ.અનિલ લકુમે કરી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!