JUNAGADHJUNAGADH CITY / TALUKO

ગિરનાર સ્પર્ધામાં સદનસીબે એક પણ સ્પર્ધકને મોટી ઈજા ન થઈ

મેડિકલ ટીમ દ્વારા અંદાજે ૮૦૦ જેટલા સ્પર્ધકોને જરૂરી સામાન્ય સારવાર અપાઈ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ખૂબ કઠિન માનવામાં આવે છે. તેમાં ગંભીર ઈજા થવાની પણ શક્યતાઓ હોય છે. પરંતુ આ ૩૮મી અખિલ ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધામાં સદનસીબે એક પણ સ્પર્ધકને મોટી ઈજા થઈ નથી.
મંગલનાથ બાપુની જગ્યા કાર્યરત કરાયેલ સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા સ્પર્ધા પૂર્ણ કરીને આવેલા અંદાજે ૮૦૦ જેટલા સ્પર્ધકોને સામાન્ય સારવાર જરૂરી આપવામાં આવી હતી.
મેડિકલ ટીમના ડૉ.જયદીપ ટીલાળાએ જણાવ્યું કે, ગિરનાર સ્પર્ધામાં સ્પર્ધકોને ક્રેમ્પ્સ, સોજો આવી જવો, નસ ચડી જવી, કે પડી જવાથી છોલાઈ જવું જેવી સામાન્ય ઈજાઓ થઈ હતી. જેથી મેડિકલ ટીમ દ્વારા સ્પર્ધકોની સારવારની જરૂરિયાત મુજબ દર્દમાં રાહત કરતી પેઈન કિલર, ડાયક્લોફિનાક જેલથી સારવાર કરવામાં આવી હતી. ઉપરાંત દર્દમાં રાહત આપતા બેન્ડીટ (ગરમ પાટા) બાંધી આપવામાં આવ્યા હતા અને જરૂરી ડ્રેસીંગ પણ કરવામાં આવ્યું હતું. આમ, આમ સ્પર્ધકોને જરૂરી સારવાર આપવા માટે મેડિકલ ટીમ સતત ખડેપગે રહી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!