GUJARATJETPURRAJKOT

પી.ડી.યુ. હોસ્પિટલના ડૉ. બીના મોદીએ જન્મદિવસની ઉજવણીરૂપે ટી.બી.ના દર્દીઓને પોષણ આહાર કીટનું વિતરણ કર્યુ

તા.૨૩/૮/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

પ્રધાનમંત્રીશ્રીના ટી.બી. મુક્ત ભારત અભિયાનને સાકાર કરવાના હેતુથી, જુદા જુદા દાતાઓના સહયોગથી, અવારનવાર ટી.બી.ના જરૂરીયાતમંદ દર્દીઓને પોષણ આહાર કીટનું વિતરણ સામજિક દાયિત્વના ભાગરૂપે કરવામાં આવે છે. ત્યારે ટી.બી.ના તબીબે પોતાનો જન્મ દિન ટી.બી.ના દર્દીઓ સાથે પસાર કરીને સમાજમાં એક પ્રેરણારૂપ સંદેશ આપ્યો છે.

રાજકોટ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના ટી.બી.એન્ડ ચેસ્ટ ડિપાર્ટમેન્ટના હેડ અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. બીના મોદીએ આજે પોતાના જન્મદિવસ નિમિતે ૧૧ એમ.ડી.આર. ટી.બી.ના જરૂરીયાતમંદ દર્દીઓને પોષણ આહાર કીટનું વિતરણ કર્યુ હતું. આમ, ડૉ. બીના મોદીએ ટી.બી.ના દર્દીઓની સાથે પોતાનો જન્મ દિવસ સેલિબ્રેટ કર્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!