BHARUCHBHARUCH CITY / TALUKO
બાળકોના વાલીઓનો રૂબરૂ સંપર્ક કરી ચૂંટણીમાં તમામ વ્યક્તિ મતદાન કરે તે માટે ઘર સંપર્ક કાર્યક્રમ યોજાયો
શિક્ષકો વાલીઓને તેમના બાળકોની પ્રગતિની ચર્ચા કરી પરીક્ષાલક્ષી માર્ગદર્શન પણ પૂરું પાડશે
ભરૂચ- લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ભરૂચ જિલ્લામાં તા.૭મી મે ના રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમેળકાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો થઈ રહ્યા છે. આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વર, શિક્ષાણાધિકારી કચેરી અંકલેશ્વરના શિક્ષકો દ્વારા શાળાઓમાં ૧૪૯૩ જેટલા બાળકોના વાલીઓનો રૂબરૂ સંપર્ક કરી આવનારી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪માં તમામ વ્યક્તિ મતદાન કરે તેની સમજૂતી માટે રૂબરૂ ઘર સંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. જેના ભાગરૂપે શિક્ષણાધિકારીશ્રી અંકલેશ્વર ડો. દિવ્યેશ પરમારની પ્રેરણાથી બાળકોના વાલીઓનો રૂબરૂ સંપર્ક કરી મતદાન જાગૃતિ અને વાલીઓ સાથે તેમના બાળકોની પ્રગતિની ચર્ચા કરી પરિક્ષાલક્ષી માર્ગદર્શન શિક્ષકો પુરું પાડશે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.