કેશોદ તાલુકાના અજાબ ખાતે પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત કિસાન ગોષ્ઠી યોજાઇ હતી. આત્મા પ્રોજેક્ટ જૂનાગઢ દ્વારા ક્લસ્ટર બેજ તાલીમ અંતર્ગત કેશોદ તાલુકાના અજાબ ગામે કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ડી.જી. રાઠોડ દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીએ તે વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમજ શ્રી ચંદ્રવાડીયા ખીમજીભાઈ એસો.પ્રોફેસર બી.આર.એસ કોલેજ માંગરોળ દ્વારા પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામોનું મહત્વ, પ્રાકૃતિક કૃષિનું મહત્વ, તેમજ પ્રાકૃતિક કૃષિના વિવિધ ઇનપુટનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે વિશેષ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમ દ્વારા ગામના કુલ ૧૦૦ જેટલા ખેડૂત ભાઈઓ અને બહેનોએ પ્રાકૃતિક કૃષિ અંગેનું માર્ગદર્શન મેળવ્યુ હતુ
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ