INTERNATIONAL

મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસ તળાવમાં ખાબકી 17 લોકનો મોત નિપજ્યા

બાંગ્લાદેશના ઝલોકાટી જિલ્લામાં શનિવારે મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસ તળાવમાં ખાબકી હતી. જેમાં અત્યાર સુધીમાં 17 લોકનો મોત નિપજ્યા છે જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે. બીજી તરફ આ બનાવની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી સ્થાનિકોની મદદથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

તળાવમાંથી 17 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે જેમાં 8 મહિલા સહિત ત્રણ બાળકો પણ સામેલ છે. તેમજ કહ્યું કે, બસમાં હજુ પણ મૃતદેહો હોવાની આશંકા છે. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને તુરંત સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બસમાં 65 મુસાફરો સવાર હતા.

અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા મુસાફર રસેલ મોલ્લાહે (35 વર્ષ) જણાવ્યું કે, હું ડ્રાઈવર સીટની બાજુમાં બેઠો હતો. બસ ચલાવતી વખતે ડ્રાઈવરે સાવચેતી ન રાખી. ડ્રાઈવર સતત તેના સહાયક સાથે વાત કરી રહ્યો હતો. મોલ્લાહે તેમના પિતાને ગુમાવી દીધા છે, જ્યારે તેમનો ભાઈ હજુ પણ લાપતા છે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!