અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકામાં રાયડાની ખેતીમાં મશી ચુશીયાનો રોગ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા
મેઘરજ તાલુકામાં રાયડાની ખેતીમાં મશી અને ચુશીયાના રોગ થી ખેડુતો ચિંતામાં મુકાયાછે ખેડુતો દ્વારા ખેતીમાં રોગના નિયંત્રણ માટે મોગા ભાવની દવાનો છંટકાવ કરી રહ્યાછે
મેઘરજ તાલુકામાં ગત ચોમાસા દરમિયાન વરસાદ ઓછો અરસતાં તાલુકામાં ચેકડેમો તળાવો તેમજ નદીમાં સિંચાઇ માટે પાણી ઓછુ હોવાથી ખેડુતોએ ઓછી સિંચાઇ થી પાકતો પાક રાયડા ની ખેતી વધુ પ્રમાણમાં કરી હતી પરંતુ અઠવાડીયા અગાઉ સતત વાદળ છાયા વાતાવરણને લઇને રાયડા ની ખેતીમાં મશી ચુશીયાનો રોગ વ્યાપ્યો હતો જેને લઇને ખેડુતો દ્વારા બે થી ત્રણ વાર મોગા ભાવની દવાઓનો છંટકાવ કર્યો હોવા છતાં રોગ પર નિયંત્રણ નથી મેળવી શક્યા મશી ચુશીયા ના રોગથી ખેડુતોની ખેતીમાં ભારે નુકશાનની ભીતી સેવાઇ રહીછે