CHOTILAGUJARATSURENDRANAGAR

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકાની ૧૮ ગ્રામ પંચાયતોમાં ‘મારી માટી, મારો દેશ’ અંતર્ગત કાર્યક્રમો યોજાયા.

તા.10/08/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વીરોને વંદન કાર્યક્રમ અંતર્ગત સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદ વીરોના પરિવારજનોનું સન્માન કરાયું.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને રાષ્ટ્રની માટીને વંદન કરવાના હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ‘મારી માટી,મારો દેશ માટીને નમન, વીરોને વંદન’ અભિયાનનો આજથી પ્રારંભ થયો છે જે અંતર્ગત આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકાની ૧૮ ગ્રામ પંચાયતોમાં ‘મારી માટી, મારો દેશ’ અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા ચોટીલા તાલુકાની ચોબારી, મોટા કાંધાસર, ખાટડી મધરીખડા, રૂપાવટી, સુખસર, ભોજપર, પીયાવા સહિતની ૧૮ ગ્રામ પંચાયતોમાં ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા અમૃત સરોવર,પંચાયત ઓફિસ, શાળા સહિતનાં સ્થળોએ શહીદ વીરોના બલિદાનોને સમર્પિત સ્મારક પથ્થરની તકતી શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોએ હાથમાં માટી અને માટીનો દીવો રાખી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી વસુધા વંદન’ કાર્યક્રમ અંતર્ગત પંચાયત દીઠ ૭૫ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું ત્યારબાદ વીરોને વંદન કાર્યક્રમ અંતર્ગત સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદ વીરોના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્યઓ, ચોટીલા તાલુકા વિકાસ અધિકારી તેમજ સરપંચઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!