JUNAGADHJUNAGADH CITY / TALUKO
જૂનાગઢના મધુરમ વિસ્તારમાં મહિલાઓ દ્વારા ઉજવાઈ ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : શહેરના મધુરમ વિસ્તારમાં આવેલ એંજલ પાર્ક સોસાયટીમાં ડો. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ભીમ વંદના કરી રેલી યોજી અને કેક કાપી અને રાત્રે ભીમરાસ સાથે ડો.ભીમરાવ આંબેડકરની ૧૩૩મી જન્મ જ્યંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન છેલ્લા કેટલાક વર્ષોથી બહેનો દ્વારા જ કરવામાં આવેલ તમામ બહેનો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા ખુબ જ જહેમત ઉઠાવેલ હતી, ત્યારે કાર્યક્રમનું આયોજન તથા સંચાલન અંજનાબેન પરમારના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું.