તા.૨૬/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot Jasdan: રાજકોટ જિલ્લામાં લોકશાહીના પર્વ સમાન લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪નું મતદાન તા. સાતમી મેના રોજ યોજાનાર છે. જેમાં મહત્તમ મતદારો મતાધિકાર ભોગવીને ચૂંટણીમાં સહભાગી બને, તે માટે ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે.
જેના ભાગરૂપે ૭૨ – જસદણ વિધાનસભા મતદાર વિભાગમાં સ્વીપ (સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટ્રોલ પાર્ટીશીપેશન) અંતર્ગત મતદાર સાક્ષરતા / જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સૌથી જૂના હોળીકાદહન સ્થળે મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી ગ્રીષ્માબેન રાઠવા અને તેમની ટીમ દ્વારા હોળીના તહેવાર પરથી પ્રેરણા લઇને લોભ-લાલચ જેવા દુષણોથી દૂર રહીને મતદાન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, આયોજકો અને જરૂરિયાતમંદ લોકોને ‘અવસર લોકશાહીનો’ લોગોની છાપ ધરાવતા ટીશર્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ અચૂક મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.